________________
ઈતિહાસ ] : ૨૪૫ :
ખંભાત પ્રભાવક ચરિત્ર અને #ઉપદેશસતતિકામાં આ જ કથા થોડા ફેરફાર સાથે ઉપલબ્ધ થાય છે પરંતુ મૂલ આશયમાં ફેર નથી.
આ પ્રભાવિક તીર્થની પ્રાચીનતા અને ચમત્કારિતા માટે નીચેના બંને ઉલ્લેખ મનનીય છે.
શ્રી સ્થંભનાક-કલ્પ. અત્યંત વ્યાધિથી દુઃખી થયું છે શરીર જેમનું અને અણસણ ગ્રહણ કરવા માટે બેલાવે છેસંઘ જેમણે ( આવા આચાર્ય મહારાજને ) રાત્રિના સમયે દેવીએ સુતરની નવ કેકડી ઉકેલવા કહ્યું (૧૫ દેખાડી છે હાથની અશક્તિ જેમણે, નવ અંગની ટીકાની વાતથી આશ્ચર્ય પામેલા અને સ્તંભન પાર્શ્વના વંદનથી કહેવાઈ છે આરોગ્ય વિધિ જેમને એવા (૨) વળી સંભાણકપુરથી રવાના થએલા અને ધૂળકાથી આગળ પગે ચાલતાં સ્થંભનપુરમાં શેઢી નદીના કાંઠે ખાખરાના વનમાં આવેલાં (૩) ત્યાં ભૂમિ ઉપર ગાયના દૂધનું ઝરણું દેખીને તિહુઅણુ અર્ધ સ્તોત્રથી પાર્શ્વનાથને પ્રગટ કરનારા અને (બત્રીસ ગાથાનું ) તેત્ર સંપૂર્ણ કરનાર (૪) ગયો છે રોગ જેમને અને સંઘે કરાવેલા ચૈત્યમાં પાશ્વપ્રભુની પ્રતિમાને સ્થાપન કરનારા એવા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી જયવંતા વર્તી (૫). જન્મથી પહેલાં પણ જે પ્રભુ ઈંદ્રથી દેવાલયમાં, વાસુદેવથી પિતાના આવાસમાં પુજાયા છે અને વરૂણ દેવથી પિતાના સ્થાનમાં ચાર હજાર વર્ષ સુધી પુજાયા છે. વળી કાંતિનગરીમાં ધનેશ શેઠ અને નાગાર્જુનથી પૂજાએલા એવા સ્થંભનપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર તમારું રક્ષણ કરે ! (૬) શ્રી સ્થંભનક કલ્પ સમાપ્ત.
શ્રી સ્થંભનકકલ્પ-શિલાંછ થંભન કપની અંદર જે વિસ્તારનાં ભયથી સંગ્રહ કરેલ નથી તેને શ્રી જિનપ્રભસૂરિ શિલાંછની જેમ કંઈ કહે છે (૧) ટંક પર્વતની ઉપર રણસિંહ
* ઉપદેશ સપ્તતિકામાં શ્રી રતંભન તીર્થપ્રબંધના અંતમાં નીચે પ્રમાણે લખ્યું છેઆ પ્રમાણે જેમને આદિ કાલ અજ્ઞાત છે એવા અને ઈન્દ્ર, શ્રીરામ, કૃષ્ણ, ધરણેન્દ્ર અને સમુદ્રાધિષ્ઠાયક દેવ વગેરેથી વિવિધ સ્થાનમાં ચિરકાલ સુધી પૂજિત થયેલા એવા તે શ્રી સ્તંભન પાર્શ્વનાથ સંસારથી ભાગ્યેજનેનું રક્ષણ કરો.” અથવા તે કેટલાક એમ કહે છે કે “ શ્રી કુંથુનાથજીની પાસે મમ્મણ વ્યવહારીબાએ પૂછયું કે-“હે ભગવાન ! મને મક્ષ કયારે પ્રાપ્ત થશે. ?” એટલે ભગવાને કહ્યું કે “ શ્રી પાર્શ્વનાથજીના તીર્થમાં તને સિદ્ધિ પ્રાપ્ત થશે, તેથી તેણે આ પ્રતિમા કરાવી. ” અર્થાત, સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા થી કંથુનાથજીના તીર્થમાં બની હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com