________________
-
--
ખંભાત
તીના
નાથ પ્રભુની પ્રતિમાજી લાવી ગુફામાં રાખી; પ્રતિમાજી સન્મુખ બેસી વિદ્યાઓ સિદ્ધ કરી. બાદ તેણે આ પ્રતિમાજીને શેઢી નદીના કિનારે ખાખરાના ઝાડ નીચે ભંડારી દીધી.
વિક્રમની બારમી શતાબ્દિમાં ચંદકુલાવતસ સૂરિપુંગવ શ્રી અભયદેવસૂરિજી મહારાજ થયા. તેમના હાથથી આ તીર્થની સ્થાપના થઈ. વિવિધ તીર્થકલ્પમાં શ્રીં જિનપ્રભસૂરિજી મહારાજ લખે છે કે –
ચંદ્રકુલમાં શ્રી વર્તમાન સૂરિશિષ્ય શ્રી જિનેશ્વરસૂરિશિષ્ય શ્રી અભયદેવસૂરિ થયા. તેઓ ગુજરાતમાં સંભાય સ્થાનમાં બિરાજમાન હતા. સૂરિજીના શરીરમાં અતિસારાદિ રોગ થયા હતા. પકખી પ્રતિક્રમણના દિવસે ક્ષમાપના માટે નજીકનાં ગામમાંથી શ્રાવકને બોલાવ્યા. તેરશના દિવસે અધરાત્રે શાસનદેવીએ પૂછયુંપ્રત્યે જાગો છે કે નિદ્રાવસ્થામાં છે? સૂરિજીએ મંદસ્વરથી કહ્યું–મને નિદ્રા કયાંથી આવે? પછી દેવીએ કહ્યું કે--આ નવ સુતરની કેકડીઓને ઉકેલ. સૂરિજીએ જણાવ્યુંતે માટે સમર્થ નથી. દેવીએ કહ્યું કેમ સમર્થ નથી? હજી તો આપ ઘણે કાલ શ્રી વીરતીર્થને શોભાવશે, નવ અંગ ઉપર વૃત્તિ-ટીકા રચશે. આચાર્યશ્રીએ જણાવ્યું કે-રોગી શરીરવાળે હું કેવી રીતે કરીશ? દેવીએ જણાવ્યું-થંભનપુર પાસે શેઢી નદીના કાંઠે ખાખરાના ઝાડમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથજીની પ્રતિમા છે, ત્યાં જઈ દેવવંદના કરે જેથી શરીરસુખાકારી થઈ જશે.
પ્રાત:કાલમાં શ્રાવકસંઘે સૂરિજીને વંદના કરી ત્યારે સૂરિજીએ જણાવ્યું કેઅમે શ્રો સ્થંભન પાર્શ્વનાથજીની વંદના કરીશું. શ્રાવકોએ કહ્યું-અમે પણ વંદણ કરીશું. અનુક્રમે સૂરિજી મહારાજ સંઘ સહિત ધલકા થઈ થંભણપુર આવ્યા. સૂરિજીએ શ્રાવકેને કહ્યું-ખાખરાના ઝાડમાં તપાસ કરે. શ્રાવકેએ તપાસ કરી તે ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનું મુખ જોયું. ત્યાં નિરંતર એક ગાય આવીને દૂધ ઝરી જતી. શ્રાવકેએ આ જોઈ સૂરિજીમહારાજને જણાવ્યું. સૂરિજીએ ત્યાં જઈ પ્રભુજીનાં દર્શન માટે “નતિન કટાન્ન સ્તોત્ર શરૂ કર્યું. સેલ ગાથા થઈ ત્યારે પ્રભુજીનાં દર્શન થયાં. અનુક્રમે સૂરિજીએ બત્રીશ ગાથા બનાવી. ત્યાં દેવે આવીને કહ્યું. પાછળની બે ગાથા ભંડારી દ્યો. કલિયુગમાં અમને આવતાં ઘણું દુઃખ થશે. સૂરિજીએ તેમ કર્યું. બાદ સંઘ સહિત સૂરિજીએ ચૈત્યવંદન કર્યું. શ્રી સંઘે ત્યાં ઉત્તમ જિનમંદિર બનાવ્યું. સૂરિજીને રેગ શાંત થયા. સૂરિજીએ ત્યાં પ્રતિષ્ઠા કરાવી. તે સ્થાન મહાન તીર્થરૂપે પ્રસિધ્ધ થયું. બાદ સૂરિજીએ નવે અંગેની ટીકા બનાવી આ અંગે ઉપર પૂ શ્રી શીલાંકાચાયે પણ ટીકા બનાવી હતી. ત્યારપછી શ્રી અભયદેવસૂરિજીએ ટીકાઓ બનાવી.” ' અર્થાત્ આ તીર્થની સ્થાપના શ્રી અભયદેવસૂરિજી મહારાજના સમયથી થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com