________________
-
-
ઇતિહાસ ]
: ૨૪ :
સુરત
આ પ્રમાણે અનેષણીય અશુદ્ધ આહાર મળવાથી આ. શ્રી કાલિકાચાર્ય સપરિવાર ત્યાંથી ચાતુર્માસમાં જ વિહાર કરી પ્રતિષ્ઠાનપુરના સંઘના આગ્રહથી પ્રતિકાનપુર પધાર્યા. પર્યુષણ પ્રતિષ્ઠાનપુરમાં ઉજવ્યાં અને સંવત્સરી મહાપર્વ ભા. શુ. પાંચમે કરવામાં આવતું હતું તે ભાદરવા શુદિ ચેાથના રોજ કરવામાં આવ્યું. આવી જ રીતે લગભગ એ જ સમયમાં થયેલ આર્ય ખપૂટાચાયે પણ ભૂગુકચ્છમાં બૌદ્ધોને હરાવી શકુનિકાવિહાર તીર્થ બચાવ્યું હતું. જુઓ–
મા” રૂવ થી લખ્યો પોતા
अश्वावबोधतीर्थ श्रीभृगुकच्छपुरे हि यैः॥" તેમજ તેમનાજ શિષ્ય શ્રી મહેંદ્રસૂરિજીએ પટણામાં પાંચસો બ્રાહ્મણને જેની દીક્ષા આપી હતી અને એ કારણે ભૂગુકચ્છના બ્રાહ્મણે એમના ઉપર દ્વેષ રાખતા હતા અને ઉપદ્રવ કરતા હતા. મહેદ્રસૂરિજીએ અહીં આવી, ચમત્કાર બતાવી એ સર્વ ઉપદ્રવ દૂર કર્યા હતા.
(શ્રી પ્રભાવક ચરિત્ર, પાદલિપ્તસૂરિ પ્રબન્ય) ભરૂચમાં નવ સુંદર મંદિર છે જે આ પ્રમાણે છે. (૧) શ્રી યશોધરા પાશ્વ નાથજીનું ભવ્ય મંદિર છે. અહીં ધરણેન્દ્ર પદ્માવતીની ચમત્કારી પ્રતિમા છે. (૨) તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં ભેંયરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની ભવ્ય મનહર પ્રતિમાજી છે. (૩-૪) આ સિવાય અનંતનાથજી, રાષભદેવજી, જેમાં એક રત્નની પ્રતિમાજી પણ સુંદર છે, (પ-૬) શાન્તિનાથજીના બે મંદિર છે. (૭) બીજા મંદિરમાં પણ મુનિસુવ્રત સ્વામી છે. (૮-૯) મહાવીરસ્વામી અને અજિતનાથજીના મંદિરે છે. આવી રીતે નવ મંદિરે છે.
મુખ્ય મંદિર શ્રી મુનિસુવ્રતસ્વામીનું જે શકુનિકાવિહાર કહેવાય છે તે બહુ જ પ્રસિદ્ધ છે. સુંદરશ્યામ મુનિસુવ્રતજિનની પ્રતિમા પરમદર્શનીય છે. ઉપાશ્રયે, પાઠશાળા, શ્રાવકની વસ્તી સારી છે. સ્ટેશનથી ગામ એક માઈલ દૂર છે. ભરૂચ ટેકરા ઉપર વસેલું છે. નીચે વિશાળ નર્મદા નદી વહી રહી છે.
સુરત. અહીં લગભગ પચાસેક જિનમંદિર છે. ઘરમન્દિર પણ છે. ૧. ગોપીપુરામાં શ્રી શાન્તિનાથજી, ૨ અનંતનાથજી, ૩ અનંતનાથજી.
૪ નવાપુરામાં શાંતિનાથજી, ૫ ભીડભંજન પાર્શ્વનાથજી. આ ઉપરાંત જુદા જુદા તીર્થકરોના નામાભિધાનવાળાં બીજાં ઘણાં મંદિર છે. શ્રી શાંતિનાથના મંદિરમાં રત્નની એક સુંદર પ્રતિમા છે.
અહીંયાં શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેય્યાર ફંડ, આગોદય સમિતિ, શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com