SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ૯ ૨૩૩ : દભવતી (ભાઈ) અને યાત્રાળુઓ દર્શનને લાભ ન લઈ શકયા. આ સિવાય નાગફણી પાર્શ્વનાથજીની મૂર્તિઓ નીચેના સ્થાનમાં છે – ૧. વિજાપુર તાલુકાના વિહાર નામના ગામમાં પણ છે. ૧૨ માં અહીં મંદિર બન્યું છે ૨. દળવાડીયામાં ૧૯૨૮ માં નાગફણી પાર્શ્વનાથજીનું મંદિર બન્યું છે. ૩. કેસરીયાજી પાસેના સામેરા ગામમાં પણ નાગફણીપાર્શ્વનાથનું મંદિર હતું. એકંદરે આ તીર્થસ્થાન મહાચમત્કારી, પ્રભાવિક અને યાત્રા કરવા લાયક છે. દર્ભાવતી ( ઈ) વડોદરાથી પૂર્વમાં રેલવે રસ્તે ૧૮ માઈલ તથા મેટર રસ્તે પણ ૧૮-૧૯ માઈલ દૂર ડઈ ગામ આવ્યું છે. જો કે આ તીર્થ પ્રસિધ્ધ તીર્થરૂપે નથી પરંતુ અહીં બિરાજમાન શ્રી લઢણુપાર્શ્વનાથજીની અદ્દભૂત ચમત્કારી પ્રાચીન પ્રતિમા છે તેને અંગે અને મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વિગેરેની વર્ગવાસભૂમિ હેવાથી તીર્થરૂપ મનાય છે, માટે સંક્ષેપમાં જ ટૂંક પરિચય આપે છે. ડભેઈની સ્થાપના ગુજેશ્વર મહારાજા સિદ્ધરાજના સમયમાં ૧૧૫૦ પછી અર્થાત્ બારમી સદીમાં થઈ છે. સિદ્ધરાજે આ નગરીને કેટ પણ બંધાવ્યું હતું. બાદ વાદો શ્રીદેવસૂરિજીના ગુરુ આ. શ્રી મુનિચંદ્રસૂરિજીને જન્મ બારમી સદીમાં ડઈમાં થયેલ હતું. તેઓ મહાત્યાગી, તપસ્વી અને ધુરંધર વિદ્વાન હતા. તેમને સૌવીરપાલી(માત્ર કાંજી વાપરીને રહેતા માટે સૌવીરપાયી )નું બિરુદ પ્રાપ્ત થયું હતું. તેમજ તાર્કિકશિરોમણું તરીકે પણ તેમની ખ્યાતિ હતી. એમણે વિશ ગ્રંથ નવા બનાવ્યા છે. સાત મહાગ્રંથ ઉપર સુંદર ટીકાઓ રચી છે. તેમની નૈષધકાવ્ય ઉપર ૧૨૦૦૦ હજાર લેકની ટીકા પણ અદ્દભુત વિદ્વત્તાપૂર્ણ છે. ૧૧૭૮ માં પાટણમાં તેમને સ્વર્ગવાસ થયે હતે. | ગુજરાતના પ્રસિદ્ધ મહામંત્રીશ્વર વસ્તુપાલના લઘુબંધુ તેજપાલ ગેધરાના નરેશ ધૂધલને જીતી અહીં આવ્યા હતા. તેમણે દર્શાવતીને રક્ષવા માટે સુંદર, મજબૂત કિલ્લે બનાવ્યું હતું અને ૧૭૦ દેરીઓવાળું સુંદર વિશાળ ગગનચુખી ભવ્ય જિનમન્દિર બનાવ્યું હતું, જે મંદિર સેનાના કળશે અને વિજાએથી સુશોભિત કર્યું હતું. - માંડવગઢના મહામંત્રી પેથડકુમારે દભવતીમાં મંદિર બનાવ્યું હતું. વહીy” એમાં ૮૩ નગરમાં બંધાવેલાં મંદિરોમાં ઉલ્લેખ છે. લોઢણપાશ્વનાથજી. દભવતીમાં શ્રી લઢણપાશ્વનાથજીનું મંદિર તીર્થરૂપ છે. આ સંબંધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy