SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ નાગફણી પાર્શ્વનાથ : : ૨૩ર : [ જેન તીર્થોને ધરોંઢની મૂર્તિ ઉપર શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ બનાવી સુદર જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. તેની મનેકામના પૂર્ણ થઈ. આવી જ રીતે વડગચ્છીય યાદવસિંહ અને શ્રીશાન્તિસૂરિજીએ ચિન્તામણિ અને પદ્માવતી મંત્રની સાધના કરી હતી. આ સ્થાન શાંત, ધ્યાન કરવાલાયક અને મંત્ર સાધન કરવા ગ્ય છે. અહીં જીર્ણોદ્ધારની જરૂર છે. આ પ્રાંતમાં આ તીર્થને નાગકડા, નાગતન સંથા નાગેતન નામથી પણ બધા ઓળખે છે. આ તીર્થ માટે એક સુંદર ઐતિહાસિક દંતકથા મળે છે, જે આ પ્રમાણે છે. જે વખતે સૂર્યવંશી મહારાણા પ્રતાપના હાથમાંથી ચિત્તોડ અને મેવાડનું રાજ્ય સમ્ર અકબરે જીતી લીધું તે વખતે મહારાણા પ્રતાપ રાજ્ય છેડો મેવાડના પહાડે અને જંગલમાં છુપાઈને ફરતે હો ત્યારે એ જંગલમાંથી વિહાર કરીને જતાં મહાન જૈનાચાર્ય શ્રી લક્ષ્મી સાગરસૂરિજીના તેમને દર્શન થયાં. રાણાજીએ તેમને ઉપદેશ સાંભળી પ્રસન્ન થઈ સૂરિજીને ત્યાં રેકી વિજ્ઞપ્તિ કરી કેગુરુદેવ! મને મારું રાજ્ય પાછું મળે તે ઉપાય દશ. આચાર્યશ્રીએ લાભનું કારણ જાણું કહ્યું કે-ધરણેન્દ્ર પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજીનું આરાધના કરવાથી તમારા મને રથ ફળશે. બાદ મહારાણા પ્રતાપે તેવા સ્થાન સંબંધી પૃચ્છા કરતાં સૂરિજીએ તેમને મેવાડના પહાડોમાં બિરાજમાન અને ધમાસીની નળમાં થઈને જવાય છે તે રસ્તે શ્રોનાગફણું પાશ્વનાજીનું સ્થાન બતાવ્યું. રણુજીએ અહીં આવી ખૂબ દઢતા અને શ્રધ્ધાથી આરાધના કરી, જેથી તેમની મનોકામના ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ. આ સાધના પછી ટૂંક સમયમાં રાણા પ્રતાપને જૈન ધર્મના દાનવીર શેઠ ભામાશાહે રાણાજીને ખૂબ જ મદદ કરી. રાણાજીએ ત્યારપછી બાવન કિલા જીત્યા, ઉદેપુર જીત્યું અને પેતાનો રાજ્યાભિષેક પુનઃ દબદબાથી કરાવ્યે, જેના પ્રભાવથી પિતાનો અદ્ભુદય થયે. તેને મહારાણા પ્રતાપ કેમ વિસરે ? તેણે પોતાના આરાધનાના સ્થાને ભવ્ય જિનાલય બંધાવી જીર્ણોદ્ધાર કર્યો. વળી પોતાના ઉપકારીની હરહંમેશ યાદ રહે તે માટે પોતાની રાજધાનીમાં પણ ધરણેન્દ્ર-પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર બંધાવ્યું ને પાર્શ્વનાથજીની મૂર્તિને “નાગફણી” એવું નામ આપ્યું. - અત્યારે પણ આ તીર્થને માટે મહિમા અને પ્રભાવ છે. ઇડરથી કેસરીયા પગ રસ્તે જનાર ગુજરાતના સંઘે અહીં જરૂર યાત્રા કરવા આવે છે. ઈડરથી મેવાડની હદમાં પેસતાં જ બે ડુંગરની વચ્ચે આ તીર્થસ્થાન આવેલું છે. અત્યારે પણ અહીં એક ચમત્કાર દેખાય છે. એક વાર સે વ યાત્રા કરવા આવ્યું હતું અધીના સમય, બેઠેલી બાઈ પણ દર્શન માટે ગઈ. અજાણતા પણ ભાવિ જીવ તાકાત માથે મનદેવે ભમરાને સમા મંદિરમાં વિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy