SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ભીલડીયાજી : ૨૨૦ : [ જૈન તીના સ્મૃતિ' ઉપરના ત્રણે ગભારામાં પધરાવેલ છે. જેમાં મૂળનાયક શ્રી મહાવીરપ્રભુ, જમણી માજી શાંતિનાથજી, ડાબી બાજુ શ્રી મુનિસુવ્રતસ્વામી છે. કેાઈના ઉપર લેખ નથી. ઉપર પણ ચાર પ્રતિમાએ છે. પ્રદક્ષિણાની શિખરની દેરીએ અને મંદિર ઉપરની દીવાલ ઉપર અગ્રેČખાર વખતે ખાવાનાં વિવિધ પુતળાં મૂકેલાં છે. એકના હાથમાં ઢાલ, ખીજાના હાથમાં સારગી, ત્રીજાના હાથમાં ભુંગળુ, એકના હાથમાં ચલમ ફૂંકતા આ પુતળાં એવાં એઢંગા અને અનાકર્ષીક છે કે એ ત્યાં શાભતાં જ નથી. અણુદ્ધિાર કરાવનાર મહાનુભાવની બેદરકારીથી જ આવાં પુતળાં રાખ્યાં લાગે છે પણ હવે સુધારા થવાની જરૂર છે. દંતકથાઓ. પ્રચલિત છે, તે પણ ભીલડીયાજી તીર્થવર્ણનમાં કેટલીક દંતકથાઓ ોઇ લઇએ. ૧. ભીલડીયાજી માટે એક પ્રાચીન દંતકથા એવી છે કે મગધસમ્રાટ પ્રસેનજિતના પુત્ર શ્રેણિકકુમાર પિતાજીથી રીસાઈને ચાલતા ચાલતા અહીં આવ્યા હતા અને એક રૂપવતી ભીલકન્યા સાથે પ્રેમગ્રંથીથી ખંધાઇ તેની સાથે પરણ્યા પછી અહીથી જતી વખતે શ્રેણકે પેાતાની સ્ત્રીના પ્રેમસ્મારકરૂપ ભીલડો નામનું નગર વસાવ્યું. આ દંતકથામાં કેટલુ' સત્યાંશ છે એ તે સુજ્ઞ વાંચક સ્વય. વિચારી છે. ૨. આ નગરીનું પ્રાચીન નામ ત્રંબાવતી હતું. તે ખાર કેશના ઘેરાવામાં હતી. આ નગરીમાં સવાસે। શિખરબ ંધ જિનમદિરા હતાં. સવાસેા પાકા પત્થરના આંધેલા કૂવા હતા. ઘણી વાવા હતી. અન્ય દનીઓનાં પણ ઘણાં મ ંદિર હતાં. સુદર રાજગઢી અને મેટાં બજાર હતાં. અત્યારે પણ ખેાદકામ થતાં રાજગઢી તે નીકળે છે-દેખાય છે. ૩. ભીલડોયાજીથી રામસેન જવાનું સીધુ ભોંયરૂ હતું. આ નગરીના નાશ માટે એ દંતકથાઓ છે, જે નીચે પ્રમાણે છે. ૪. એક વાર આ નગરમાં વિદ્વાન અહુશ્રુત નિમિત્તજ્ઞ મુનિવર ચાતુર્માસ હતા. આ વખતે કાર્તિક માસ એ હતા. મુનિવરને નિમિત્તજ્ઞાનથી ખબર પડી કે ખીજા કાર્તિકમાં આ નગરીને નાશ થશે એટલે બીજા કાર્તિકમાં ચાતુર્માસ સંપૂર્ણ થવાનું છતાં ય એક માસ પહેલાં અર્થાત્ પ્રથમ કાર્તિકમાં ચામાસી પ્રતિક્રમણ કરી અન્યત્ર વિહાર કરી ગયા. આ વખતે સાથે ઘણાં શ્રાવક કુટુમ્બે પશુ ચાલ્યા ગયા. તેમણે જઈને જે સ્થળે રહેઠાણુ કર્યું તે રાધનપુર કહેવાયું. મુનિરાજના ગયા પછી * અત્યારે પણ રાધનપુરના ખસાલીયા કુટુમ્બની ગેત્ર દેવી અહીં છે. માપણી ધમશાળા સામે જ પૂર્વૈદિશામાં આરસના બંધાવે કૂવા છે. એ કૂવામાં એ ગાત્રદેવી છે, કહે છે કે દેવીની મૂર્તિ સાનાની હતી. મુસલમાની હુમલાના સમયે તે મૂર્તિ કૂવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy