SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ઈડરગઢ : ૨૧૦ : [જેન તીર્થોને આવે છે અને ત્યાંથી જ અહીંના વિશાલ જૈન મંદિરની ઘુમટીઓની ઘંટડીઓના મીઠા નાદ સંભળાય છે. મંદિર બહુ જ સુંદર અને ભવ્ય છે. બાવન જિનાલયનું આ ભવ્ય જૈન મંદિર પહાડ ઉપર પરમશાંતિનું ધામ છે. આત્મકલ્યાણઅર્થી મહાનુભાવે આમશાંતિ એકાંતને આહૂલાદ અને આનંદ લેવા અહીં આવે અને લાભ થે. મંદિરજીના જીર્ણોધ્ધારનું કામ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં બે લાખ અને ત્રીસ હજારને ખર્ચ જીણોદ્વારમાં થયો છે. સુંદર આરસને ભવ્ય ચેક અને બહારના એટલા ઉપરથી ઉઠવાનું મન નહિં થાય. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે. મૂલ મંદિર શ્રી સંપ્રતિરાજાએં કરાવેલું. ત્યાર પછી વછરાજે, મહારાજા કુમારપાલે, ગોવિંદસંઘવીએ, અને ચંપક શાહે ઉદ્ધાર કરાવ્યા હતા અને છેલ્લે ઉધ્ધાર હમણાં શ્રી વેતાંબર જૈન સંઘે કરાવ્યું છે. સામે જ સુંદર વેતાંબર ધર્મશાળા, બગીચ વગેરે છે. પછવાડે ગુફા છે. આથી પણ ઉપર જતાં રણમલચેકીનું પ્રાચીન શ્વેતાંબર મંદિર તથા એક બીજું ખંડિયેર મંદિર વગેરે દર્શનીય છે. અહીંથી શ્રી કેશરીયાજીની યાત્રાએ જવા માટેની સીધી મેટર જાય છે. આ સિવાય વડાવલી અને અહમદનગરનાં ( હિમ્મતનગર) સુંદર જૈન મંદિર પગ દર્શનીય છે. હિમ્મતનગરને કિલ્લે બાદશાહ અહમદશાહે ૧૪ર૭-૨૮ માં બંધાવેલો છે. ઈડર સ્ટેટની રાજધાનીનું શહેર છે. તેમજ ઈડરથી દશ માઈલ દૂર પસીનાજી છે તે પણ દર્શનીય તીર્થ છે. ઇડરને પ્રાચીન રાજવંશ ઈડરમાં સાતમા સૈકામાં હર્ષવદ્ધન રાજા હતો. તેનું રાજ્ય તે નાનું હતું, પરંતુ અત્યારના ઈડરનરેશ પિતાને સિસેદીયા કહેવડાવે છે. મૂલમાં આ રાજ્યની સ્થાપના ઈ. સ. ના છઠ્ઠા સિકાની મધ્યમાં વલભીપુરના શિલાદિત્ય રાજાના વંશજ ગુલાદિત્યે કરી હતી. તેના વંશજો ગેહલેટ કહેવાયા અને તેમણે પાછળથી મેવાડમાં ગાદી સ્થાપી સિસે ઢીયા નામ ધારણ કર્યું જે આજ સુધી સીસેદિયા તરીકે પ્રસિદ્ધ છે. વર્તમાન ગાદીની સ્થાપના બાપા રાવલના હાથથી ચિત્તોડમાં થઈ હતી. ઈડરગઢ ગુજરાતના પ્રસિદ્ધ ગઢમાં એક કહેવાય છે અને એક સમયે આ ગઢ અભેદ્ય જે ગણાતે હશે માટે જ ગુજરાતમાં ગવાય છે કે “ઈડરીયો ગઢ જીત્યા છે માણારાજ” તેમજ “અમે ઈડરીયા ગઢ જીત્યા રે આનંદ ભલા” હોંશથી ગાય છે. ઈડરગઢની વ્યવસ્થા માટે તાંબર સંઘ તરફથી શ્રી શેઠ આણંદજી મંગળજીની પેઢી( ઈડર ની સ્થાપના કરવામાં આવી છે. આ પેઢી તીર્થની પૂરેપૂરી દેખરેખ રાખે છે. ઈડરગઢ ઉપરની વેતાંબર જૈન ધર્મશાળાની જમીન ઈડરસ્ટેટના મહારાજા હિંમતસિંહજીએ ૧૭૩ ના જેઠ રુ. ૧૧ ઈ. સ. ૧-૬-૧૯૧૭ ના શુક્રવારે ભેટ આપેત્રી છે જેનું જાહેરનામું ઈડરગઢના બાવન જિનાલયના જણે ખારના રિપોર્ટના પૃ. ૫૪-૫૫ માં પ્રગટ થએલ છે. તીર્થ ખાસ યાત્રા કરવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy