SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તારંગા [; ૧૮ : | [ જૈન તીર્થોને ઉપરાંત ચુસ્ત ધર્મશ્રદ્ધાળુ હતા અને તત્કાલીન તપગચ્છાધિપતિ શ્રીમાન આચાર્ય શ્રો સેમસુંદરસૂરિના અનન્ય ભક્ત હતાં. સૂરિજીના ઉપદેશથી શ્રી શત્રુંજય, ગિરનાર અને સુપારક વગેરે તીર્થોના મેટા ખર્ચે સંઘ કાઢીને તીર્થયાત્રાઓ કરી હતી, અને અનેક સાધમિક ભાઈઓને તીર્થયાત્રાને અપૂર્વ લાભ આપ્યું હતું. તીર્થયાત્રા કરીને ઘેર આવ્યા પછી સંઘવીને તારંગા તીર્થમાં શ્રી અજિતનાથભગવાનની નવીન પ્રતિમા બેસાડવાને મને રથ ઉભા હતા. આ પછી ગોવીદ સંઘવીએ આરાસણની અંબિકાદેવીનું આરાધન કરી ને ભવ્ય બિંબને માટે એક મોટી શિલા પ્રાપ્ત કરી. ત્યાંથી ગાડામાં ભરાવીને એ શિલા તારંગાઇ ઉપર મંગાવી જેના સંબંધમાં કવિ પ્રતિષ્ઠાસોમે લખ્યું છે કે– ત્યાર બાદ માર્ગમાં ધીમે ધીમે ચાલતે રથ ઘણે મહિને તારંગાગિરિ ઉપર પહોંચ્યો અને પ્રેક્ષકોને આશ્ચર્ય કરાવનાર તે મહાન શિલાને ઉસ્તાદ કારીગોએ ઘડવા માંડી. સૂર્યમંડળને ઝાંખું પાડનારી કાંતિવડે ત્રણ જગતને પ્રકાશિત કરનાર પ્રભાવશાલી અને કદમાં ઘણું જ મોટું શ્રી અજિતનાથ ભગવાનનું નવીન બિંબ થોડા જ દિવસમાં તિયાર થયું અને લાખો માણસોએ મળીને આ બિંબને શુભ દિવસે મંદિરમાં સ્થાપન કર્યું. આ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સંઘવીએ મોટે સમારોહ આરંભે. અનેક દેશમાં કુંકુમ પત્રિકાઓ મેકલી. લાખ માણસની માનવ મેદની ભરાઈ, જાણે માનનો મહાસાગર ઉભરાયે હેય એવી રીતે માણસો આવ્યાં એટલું જ નહીં ગુજરાતના બાદશાહની ફેજના ઉપરી અધિકારી ગુણરાજ અને એકરાજ જેવા રાજયમાન્ય પુરુષો હાજર હતા તેમજ રાવ પૂજાજીના સિનિકે દરેક જાતની સેવા અને ચેકી પહેરા માટે હાજર હતા આ લાખે માનવીઓની હાજરીથી સંઘપતિ ગોવીંદ પ્રપુલ્લિત અને આન દિત થયા હતે આ મહાન માનવ મેદનીની વચ્ચે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી અને શ્રી અજિતનાથ ભગવાનનું બિંબ સ્થાપન કર્યું અને તે જ દિવસે પંડિત જિનમંડનને વાચક પદ આપવામાં આવ્યું.' સંઘપતિ ગોવીંદના આ જીર્ણોદ્ધાર પછી જગદ્દગુરુ આચાર્ય શ્રી હીરવિજય સૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી વિજયસેનસૂરિજી મહારાજના ઉપદેશથી તારંગાજી તીર્થને જીદ્ધાર કરાવવામાં આવ્યા, જેનું પ્રમાણ નીચે પ્રમાણે મલે છે. ગોવીંદ સંઘપતિની પ્રતિષ્ઠાને લેખ મૂળનાયકજીની પ્રતિમા ઉપર આ પ્રમાણે છે. સં ૨૪૭૨ શ્રી ....... જોરું ના લાચર... vલ કુટુજપુર .......affમ (જેન સા. સં. ઈ. પૃ. ૪૫૪) એક બીજો લેખ એવું સૂચન કહે છે કે ૧૪૬૬ પહેલાં મૂળનાયકજીની મૂર્તિનું પરિવર્તન થયું હોય. ૧. જુઓ પાવલિ સમુચ્ચય. “વિકરાવતા » × ૪ શીળેરાન goથોરાસા જાપથat.” ( ૮૧-૮૨). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy