________________
સેરીસા
: ૧૮૬ :
[ જૈન તીર્થોને જૈન સેવા સમાજ અને પુસ્તકાલય, ગુજરાતભરમાં પ્રસિદ્ધ મોટી પાંજરાપોળ વગેરે ઘણું ઘણું અહીં જૈનેનું છે; માટે જ અમદાવાદ જૈનપુરી કહેવાય છે. જૈન સંઘનું એવું એક પણ મહાન કાર્યો નહિ હોય જેમાં અમદાવાદની પ્રેરણા, સહકાર ને ઉત્તેજન ન હોય.
નરોડા અમદાવાદથી ત્રણ ગાઉ દૂર આ સ્થાન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રાચીન, અતિરમ્ય અને ચમત્કારી પ્રતિમાજી છે. ભવ્ય અને વિશાલ જૈન મંદિર છે. અહીં શ્રી પદ્માવતી દેવીનું મહાન ચમત્કારી સ્થાન છે. ગામ બહાર એક પ્રાચીન જૈન મંદિરના અવશે, મંદિરના શિખરના વિભાગો, થાંભલાઓ, પાયે વગેરે દેખાય છે. આ ઉપરથી લાગે છે કે અહીં પ્રાચીન ભવ્ય જૈન મંદિર હશે. અહીં અમદવાદથી રવિવારે, પૂર્ણિમાએ, પિષ દશમીએ અને વદિ દશમીએ તેમજ અવારનવાર જેના સંઘ આવે છે. અહીં સુંદર બે ધર્મશાળા અને ઉપાશ્રય છે, શ્રાવકેનાં ઘર પણ સારાં છે. પોષ દશમીને મેળે સારે ભરાય છે.
સેરીસા અમદાવાદથી કલોલ અને ત્યાંથી અઢીગાઉ દુર સેરીસા છે. સેરીસા ગુજરાતનું પ્રાચીન શહેર છે. તીથની ઉત્પત્તિ માટે નીચે મુજબ ઉલ્લેખો મળે છે. વિવિધ તીર્થકલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજી અયોધ્યા કલ્પનું વર્ણન આપતાં લખે છે કે
સેરીસા નગરમાં નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજીની શાખામાં થયેલા શ્રી દેવેંદ્રસૂરિજીએ દિવ્ય શક્તિથી ચાર મહાન બિંબે આકાશમાગે આપ્યા હતાલાવ્યા હતા. જેમણે ધરણેન્દ્ર પદ્માવતી આરોધેલ છે તેવા છત્રપાલીય શ્રી દેવેન્દ્રસૂરિ વિહાર કરતા સેરીસા નગરમાં પધાર્યા. ત્યાં ઉત્કટિકાસને કાઉસ્સગ કરતા હતા. આ રીતે વધારે વાર કાઉસ્સગ્ન કરવાથી શ્રાવકેએ પૂછ્યું: “ શ્રીપુજ્ય આવી રીતે કાઉસ્સગ કરવામાં શું વિશેષતા છે?” સૂરિજીએ કહ્યું: “અહીંયાં એક સુંદર પાષાણની ફલહી-પડ છે, તેનાથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી કરાવવાથી તે પ્રતિમાજી અતિશય પ્રભાવિત થશે. ત્યાર પછી શ્રાવકેના વચનથી પદ્માવતી દેવીને આરાધવા અઢમ કર્યો. દેવી હાજર થઈ. દેવીએ કહ્યું કે-“સોપારક નગરમાં એક આંધળા સૂત્રધાર ( શિરપી) રહે છે. તે આવીને અઠ્ઠમ કરીને સૂર્યાસ્ત પછી પ્રતિમાજી ઘડવાનું કાર્ય શરૂ કરે અને સૂર્યોદય પહેલા તે પ્રતિમાજી બનાવે તો તે પ્રતિમા મહાપ્રભાવિક થશે.” શ્રાવકોએ સૂત્રધારને બેલાવવા માટે
પારક નગરે માણસ મોકલ્યા. સૂત્રધાર આવ્યું. જેમ દેવીએ કહ્યું હતું તેવી રીતે પ્રતિમાજી ઘડવા માંડ્યાં. ધરણેન્દ્ર સહિત પ્રતિમાજી તૈયાર થયાં. પ્રતિમાજી ઘડતાં છાતીમાં એક મસ દેખાવા લાગે. તેની ઉપેક્ષા કરીને સૂત્રધારે બાકીનું કામ ચાલુ રાખ્યું. ફરીથી બધું ઠીક કરતાં માસે દીઠે. તેના ઉપર તેણે ટાંકણે માયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com