SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૧૬૭ : શ્રી શંખેશ્વરપાનાથજી થયાં છે. વિ. સં. ૧૮૦૨ માં મંદિરનો પાયો નંખાય છે. અહીંના જેનું મંદિર જોઈ અહીંની અજૈન પ્રજાને પણ આ મંદિર લેવાનું મન થયું. જન સંઘે પિતાની મહાનુભાવતા અને ઉદારતા દર્શાવી અજનેને બીજું મંદિર બનાવી આપ્યું. અહીને મોટે કર્યો અને તળાવ પણ જનેએ જ બનાવેલાં છે. અહીં પહેલાં ૬૦ ઘર હતાં, અત્યારે બે ઘર છે. ઉપાશ્રય, ધર્મશાળા છે. આ મંદિર બહુ ચું હોવાથી દૂર દૂરથી દેખાય છે. - હારીજ હારીજથી શંખેશ્વરજી ૧૫ માઈલ દૂર છે. હારીજ જૂનું અને નવું બે છે. જૂના હારીજમાં વિશાલ જૈન મંદિર હતું. અત્યારે તેના પાયા અને ચેડા શિખર અને થાંભલાના પત્થરે દેખાય છે. ગામ બહાર એક કેવલાસ્થલીના ટીંબામાં ત્રણ પ્રાચીન લેખો છે. હારીજ હારીજગચ્છની ઉત્પત્તિનું સ્થાન છે. તેરમી સદીનો હારીજ ગચ્છને લેખ ચાણસ્માના મંદિરમાં નીચે છે. ત્રણ વર્ષ આ ગચ્છના આચાર્યોએ શાસન દીપાવ્યું છે. અહીં અત્યારે બે ત્રણ જેનેનાં ઘર છે. નવું હારીજ સ્ટેશન સામે જ છે. એક જન મંદિર, બે ધર્મશાળા, ૧ ઉપાશ્રય છે. જનનાં ઘર ૪૦ છે. ગાયકવાડ સ્ટેટનું ગામ છે. અહીંથી શંખેશ્વરજી બે ટાઈમ મેટર જાય છે. તેમજ ગાડી, ઉંટ વગેરે વાહન પણ મળે છે. અહીંથી રાધનપુરની સેટર પણ ઉપડે છે. શંખેશ્વરજી જવા માટે અત્યારે રાધનપુર, સમી, મુંજપુર અને શંખેશ્વરજી તથા રાધનપુરથી પણ ગોચનાથ, લોલાડા, ચંદુર થઈ શંખેશ્વરજી, વિરમગામ, માંડલ, દસાડા, પંચાસર થઈને શંખેશ્વરજી, તેમજ આદરીયાણાના રસ્તે શંખેશ્વરજી જવાય છે. વર્તમાન શખેશ્વરજી.* આ ગામનું મૂળ નામ શખપુર મલે છે. શ્રી મેતુંગાચાર્યજીએ પિતાની પ્રબન્ધચિંતામણિમાં ધનદ શેઠના પૂજા વિષયક પ્રબન્ધમાં પણ શંખપુર નામ આપ્યું છે. શ્રી જિનપ્રભસૂરિએ પણ શંખપુર ક૫ લખ્યો છે. યદ્યપિ કલ્પની વિગતમાં તેમણે લખ્યું છે કે “જે ઠેકાણે ભગવાન અરિઠનેમિએ પંચજન્ય શંખ પૂર્યો ત્યાં “સંખેસર નગર સ્થાપ્યું. ” શંખપુરનું નામ; શંખેશ્વર પાર્શ્વનાથના મહિમાના પરિણામે જ્યાં એમનું ભવ્ય યાત્રાસ્થાનક છે એ નગરનું નામ પણ શંખેશ્વર પ્રસિદ્ધ થયું હોય એમ લાગે છે. વીર પ્રભુની પાટે ૩૬ મા નંબરના પટ્ટધર શ્રી સર્વદેવસૂરીશ્વરજીએ ૧૨૦ માં શંખેશ્વરજીમાં ચાતુમસ કર્યું છે. આ ગામના નામ ઉપરથી શંખેશ્વર ગચ્છ પણ શરૂ થયો છે, જેના પાછળથી નાણુકચ્છ અને વલ્લભીગચ્છ વિભાગો થયા છે. યોધન ભણશાળીના વંશની શંખેશ્વરીયા અડક થઈ ગઈ છે. અર્થાત્ શંખેશ્વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy