SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ’ખેશ્વરપાનાથજી : ૧૫૬ : [ જૈન તીર્થાંના પર ચાવજીવ પૂજી. ખાદ ચંદ્રપ્રભુસ્વામીના સમયના સૌધર્મેન્દ્રે પૂજીને ગિરનાર પર્વતની સાતમી ટૂંક પર સ્થાપન કરી. માદ નાગરાજે તથા શ્રીરામચ'દ્ર તથા સીતાએ પૂજી અને પાછી સૌધન્દ્રને સોંપી. ખાદ સૌધર્મેન્દ્રે તેની પૂજા કરી ગિરનારના સાતમ શિખર પર પુનઃ સ્થાપી. ખાદ ત્યાંથી ધરણેન્દ્ર તે પ્રતિમાને પેાતાના આવાસમાં લઈ ગયા અને પેતે પદ્માવતી દેવી સાથે પ્રતિદિન પૂજવા લાગ્યા. ખાદ કાળક્રમે જરાસધ સાથેના યુધ્ધમાં શ્રી અરિષ્ટનેમિકુમારના વચનથી ધરણે તે પ્રતિમા શ્રી કૃષ્ણને આપી. આ રીતે શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની મૂતિ ડાગમે વર્ષોથી પૂજાતી આવી છે. આ સંબંધમાં ૫. શ્રી શીલવિજયજી તી માલામાં આ પ્રમાણે લખે છે કે "3 વીરમગામથી આલ પાસ, સખેસરા પૂરી મનિ આસ ૫ ૧૫૬ ૫ યાદવ જરા નિવારી ણ, યદુપતિ તીરથ થાપ્યું તિણિ । ચદ્રપ્રભુજી નવાર કહી, તવ મૂરતિ ભરાવી સહી. ૫ ૧૫૭ ॥ (પ્રાચીન તીર્થમાળા પૃષ્ઠ ૧૨૫) આવી રીતે આ તીર્થ છે તે ઘણું જ પ્રાચીન. આ તીર્થસ્થાનના પ્રદેશને વઢીયાર દેશ કહેવામાં આવે છે. શ્રી શખેશ્વર પાર્શ્વનાથજીનાં અનેક સ્તાન્ત્ર, છઠ્ઠા, સ્તવના મનેલાં છે. આજ પણ આ તીર્થ મહાચમત્કારી છે. કા. શુદ્ધિ પૂર્ણિમા, પૌષ દશમી, ચૈ. શુ. ૧પ ના રાજ મેાટા મેળા ભરાય છે. યાત્રિકાને ઘણા ચમત્કારીના દર્શન થાય છે. આજ પણ ઘણા પરચા પૂરાય છે. સુદર છ ધર્મશાળાઓ, ઉપાશ્રય, પુસ્તકાલય અને ભેજનશાળા છે. અહીં શ્વેતાંબર સંઘ તરફ્થી જીવણદાસ ગાડીદાસ એ નામથી કારખાનું ચાલે છે. વ્યવસ્થા શેઠ જમનાદાસ ભગુભાઈ સંભાળતા પરન્તુ ત્યારબાદ અમદાવાદના આઠ સભ્યની એક કમીટી નીમી છે જે શખેશ્વર તેમજ ભોંયણીજીના કારખાનાની દેખરેખ રાખે છે. ગામમાં પુરાણું શંખેશ્વર પાર્શ્વનાથજીનું મંદિર છે. હાલનું મંદિર નવું છે. પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન અને ભવ્ય છે. ઘણું જ શાંતિનું સ્થાન છે. રાત્રે દિવ્ય વાજિંત્ર પણ સંભળાય છે. પ્રતિમાજી જીણું થઇ જવાથી વેણીચંદ સુરચંદના પ્રયાસથી પ્રતિમા ઉપર સુંદર મેાતીના લાલ લેપ કરવામાં આવેલ છે. ખાસ દર્શનીય સ્થાન છે. મંદિરજીનુ ચિત્રકામ, ખાંધણી અને શિલ્પ પણ સરસ છે. ખાવન જિનાલયનું ભવ્ય મંદિર દર્શનીય છે. મૂલનાયક શ્રી શખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ ઉપર તેા કેાઈ શિલાલેખ નથી દેખાતે પરન્તુ ત્યાંની દેવકુલિકાઓમાં બિરાજમાન મૂતિ એ ઉપર તેરમી અને ચૌદમી શતાબ્દિના લેખા મળે છે. તેરમી શતાબ્દિના લેખ શ્રી સેામપ્રભસૂરિજીના છે અને * કા. શુ. ૧૫ તથા ચૈત્ર શુ. ૧૫ને દિવસે શત્રુંજયગિરિરાજના પટ્ટ શ્વેતાંબર કારખાના તરફથી બંધાય છે, પાચ દશમીએ શેઠ મેાતીલાલ મૂળવાળા તરાથી નાકારશી થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy