________________
ઇતિહાસ ]
: ૧૫૫ ૪ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ સૈન્યની આ દશા જોઈ શ્રીકૃષ્ણ આકુળવ્યાકુળ થઈ ગયા અને ભગવાન શ્રી અરિષ્ટનેમિકુમારને પૂછયું-“ભગવદ્ ! આ મારું સૈન્ય કેવી રીતે નિગી નિરુપદ્રવી) થશે અને જયલક્ષ્મી અમારા હાથમાં કેવી રીતે આવશે?” ત્યારે ભગવાન શ્રી અરિષ્ટનેમિકુમારે અવધિજ્ઞાનથી જોઈને કહ્યું કે-“પાતાલલેકમાં નાગદેવથી પૂજિત ભાવિ તીર્થકર શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી છે તેમને પોતાને પૂજાસ્થાનમાં રાખી પૂજા કરીશ તે તારું સૈન્ય નિરુપદ્રવી થશે અને તને જય મળશે.” આ સાંભળીને શ્રી કૃષ્ણ સાત મહિના અને ત્રણ દિવસ (અન્ય મતાનુસાર ત્રણ દિવસ) સુધી આહાર રહિત રહી વિધિપૂર્વક પનગરાજની આરાધના કરી. અનુક્રમે વાસુકી નાગરાજ પ્રત્યક્ષ થયા. કૃષ્ણજીએ ભક્તિ-બહુમાનપૂર્વક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીની માગણી કરી. નાગરાજે પ્રતિમાજી આપ્યાં. કૃણે મહેસવપૂર્વક પ્રતિમાજીને પિતાના દેવમંદિરમાં સ્થાપ્યા. વિધિપૂર્વક ત્રિકાળ પૂજા શરૂ કરી. પ્રતિમાજીનું જુવણ જળ લઈ સમસ્ત સૈન્ય ઉપર છાંટયું જેથી સેના રેગ રહિત થઈ. સમસ્ત જરા, રેગ, શેક વગેરે દૂર થઈ ગયાં. અનુક્રમે જરાસંધને પરાજય થયો. લેહાસુર, ગયસુર અને બાણાસુરાદિ છતાયા. ત્યારથી ધરણંદ્રપદ્માવતીના સાન્નિધ્ય યુક્ત સકલવિનહારી અને સમસ્ત મ્બિના જનક શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાની ઘણી પ્રસિદ્ધિ થઈ. પ્રતિમાજીને ત્યાં શંખપુરમાં જ સ્થાપિત કર્યા બાદ પ્રતિમાજી અદશ્ય રહ્યાં. ત્યારબાદ શંખપુરના કૂવામાં પ્રતિમાજી પ્રગટ થયાં. હમણાં તે તે પ્રભુજી ચિત્યઘરમાં સકલ સંઘથી પૂજાય છે. પ્રતિમાજી અનેક પ્રકારના પરચા પૂરે છે. મુસલમાન પાદશાહે પણ તેને મહિમા કરે છે.” શંખેશ્વરજીમાં રહેલ ઈચ્છિત ફલને આપનાર જિનેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજીને કહ૫ પૂર્વતેત્રાનુસાર જિનપ્રભસૂરિજીએ બનાવ્યું.
|
(વિવિધતીર્થકલ્પ પૃષ્ઠ પર) આ પ્રતિમાજીની ઉત્પત્તિ સંબંધી કહેવાય છે કે-ગઈ વીશીના નવમા તીર્થકર શ્રી દામોદર જિનેશ્વર મહારાજના સમયમાં આષાઢી શ્રાવકે આ બિંબ ભરાવ્યું હતું. આષાઢી શ્રાવકે પ્રભુજીને પૂછયું હતું કે-“મારું કલ્યાણ કેવી રીતે થશે?” ત્યારે પ્રભુજીએ કહ્યું કે “આવતી ચોવીશીના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીના શાસનમાં તુ ગણધર થઈશ.” પછી તે શ્રાવકે પ્રભુમુખથી શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના વર્ણ અને શરીરના માપ પ્રમાણે પ્રતિમાજી બનાવી, પિતાના ગૃહસ્થાશ્રમમાં ઘણે વખત પૂજન કર્યા બાદ સંયમ સ્વીકાર્યું અને કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઇંદ્ર થતાં, અવધિજ્ઞાન દ્વારા પિતાના પરમ ઉપકારી શ્રી પાર્શ્વજિનબિંબને દેવલોકમાં લાવી, પોતાના વિમાનમાં રાખી યાવાજીવ પૂજા કરી. બાદ તેમણે તે બિંબ સૂર્યને આપ્યું. સૂર્ય ૫૪ લાખ વર્ષ પર્યત તેની પૂજા કરી. બાદ આ ચમત્કારિક બિંબ પહેલા, બીજા, દશમા અને બારમા દેવલોકમાં, લવણોદધિમાં, ભવનપતિએના આવાસોમાં, વ્યંતરોના નગરોમાં, ગંગા તથા યમુના નદીમાં અનેક સ્થળે પૂજાયું. કાળક્રમે નાગરાજ ધરણે આ પ્રતિમા શ્રીત્રાષભદેવ ભગવાનના પાલિત-પુત્ર નમિ-વિનમિને આપી. તેમણે તાત્ર્ય પર્વત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com