SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૪ર : ભલેશ્વરઃ અંજાર ત્યારપછી પુનઃ જેનોની વસ્તી ઘટી અને મંદિરને કબજે ત્યાંના ઠાકરના હાથમાં ગયે. પુનઃ વહીવટ જેનેએ પોતાના હાથમાં લીધો અને વિ. સંવત્ ૧૯૨૦માં રાવ દેશળજીના પુત્ર રાવ પ્રાગમલજીના રાજ્યમાં આ દેરાસરને પુનઃ જીર્ણોધ્ધાર થયે. ત્યાર પછી વિ. સં. ૧૯૩૯ મહા શુદિ ૧૦ ને દિને માંડવીવાસી મેણસી તેજસીની ધર્મપત્ની બાઈ મીઠીબહેને છેલ્લે જીર્ણોધ્ધાર કરાવ્યું, જે આજે પણ ચાલુ છે. બાવન જિનાલયના આ મંદિરની રચના પણ અદભુત છે. ૪૫૦ ફુટ લાંબા પહોળા ચગાનની વચમાં મંદિર આવેલું છે. ચારે બાજુ વિશાલ ધર્મશાલાઓ છે. ડાબી બાજુ એક ઉપાશ્રય છે. મંદિરની ઊંચાઈ ૩૮ ફુટ છે. લંબાઈ ૧૫૦ પુટ અને પહોળાઈ ૮૦ ફુટ છે. મૂળમંદિરને ફરતી બાવન દેરીઓ છે. ચાર ઘુમ્મટ મેટા અને બે ઘુમ્મટ નાના છે. મંદિરને રંગમંડપ વિશાલ છે. તેમાં ૨૧૮ થંભે છે. Ü મોટા અને પહેબા છે. બન્ને બાજુ અગાશી છે. અગાશીમાં બાવન શિખરે નાનાં અને એક મૂળ મંદિરનું વિશાલ શિખર એવી રીતે દેખાય છે કે જાણે આરસને પહાડ કેરી કાઢયે હોય. પ્રવેશદ્વાર સુંદર કારીગરીવાળું છે. સ્થભે પણ બધા સુંદર કારીગરીવાળા હતા પરંતુ જીણોધ્ધાર સમયે બધામાં સીમેન્ટ, ચુન અને રંગ લાગી ગયા છે. મંદિરમાં આખા ય મંડપમાં સોનેરી અને બીજા રંગેથી કાચ પર તેમજ દિવાલ પર નેમિનાથ પ્રભુની જાન, પ્રભુને વરઘેડો, શ્રી મહાવીર પ્રભુના, અષભદેવસ્વામીના કલ્યાણક ને ઉપસર્ગો તેમજ શ્રી પાર્શ્વનાથજી અને શાંતિનાથજીના જીવનકલ્યાણુકેના પ્રસંગે કલામય દષ્ટિથી સુંદર ચિતરેલા છે. આ વિશાલ જિનમંદિરમાં કુલ ૧૬૨ જિનપ્રતિમાઓ છે. ઘણીખરી પ્રતિ. માઓ સંપ્રતિરાજાના અને કુમારપાલના સમયની છે. આ જિનમંદિરમાં એક પ્રાચીન ભેંયરું હતું કે જે અહીંથી જામનગર જતું. હાલ તે ભોંયરું પૂરી દેવામાં આવ્યું છે. આ સિવાય અહીં ભદ્રાવતીમાં જગડુશાહને મહેલ, જગડુશાહની બેઠક અને જગડુશાહને ભંડાર વગેરે જેવા લાયક છે. અહીં એક આશાપુરી માતાના મંદિરના ખંભા ઉપર લેખ છે “ સંવત ૧૩૫૮ દેવેન્દ્રસૂરિ . ..પર......આગળ શબ્દો વંચાતા નથી. બીજા લેખ ૧૨-૨-૧૩૧૯-૮૧૦ તથા એક પાળીયા ઉપર ૧૧૫૯ ને લેખ છે. આ તીર્થને વહીવટ વર્ધમાન કલ્યાણજી નામની પેઢીથી ચાલે છે અહીં દર વર્ષે મેળો ભરાય છે. તે વખતે કચ્છ અને કચ્છ બહારથી ઘણું જેન યાત્રાળુઓ આવે છે. નેકારશીનું જમણ થાય છે. ત્રણ દિવસ ઉત્સવ રહે છે. આ સિવાય પણ દરરોજ યાત્રાળુઓનાં એક બે ગાડા જરૂર આવે છે. ધર્મશાળામાં યાત્રિકને સગવડ સારી મળે છે. હમણા ત્યાં એક જૈન ભોજનશાળા પણ શરૂ કરવામાં આવી છે. સં. ૧૯૮૩માં પાટણનિવાસી શેઠ નગીનદાસ કરમચંદે પૂ. પા. આચાર્યવર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી કચ્છને સુંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy