SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રેશ્વર : ૧૪૧ : [ જૈન તીર્થોને ભદ્રાવતીને ઇતિહાસ ઘણે જ જૂને દર્શાવવામાં આવે છે. મહાભારતમાં વર્ણવાયેલી યૌવનાશ્વ નગરી તે આ જ ભદ્રાવતી હતી અને પાંડવોએ અશ્વમેધ યજ્ઞને ઘેડ અત્રે જ બાંધે હતે. આ તે પૌરાણિક વાત થઈ. આ મંદિરને મધ્યકાલીન ઈતિહાસ નથી મળતું, પરંતુ પરમાતપાસક મહારાજા કુમારપાલે અહીંના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. બાદ વિ. સં. ૧૩૧૫માં દાનવીર જગડુશાહે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતે એ એક લેખ ત્યાંના સ્થંભ ઉપર કતરેલે વિદ્યમાન છે. જગડુશાહની અનેક પેઢીઓ દેશાવરમાં ચાલતી. તેના વહાણે વિશ્વભરના બંદરોની સફર કરી આવતાં. તેની દાનવૃત્તિએ તેને અમર નામના અપાવી છે. આઠ સૈકાઓ વીતી જવા છતાં જનતા આજે પુણ્યનામધેય જગડુશાહનું સ્મરણ કરી પિતાનું મસ્તક અવનત કરે છે. જગડુશાહના સખાવતી ક્ષેત્રની કંઈક આપણે ઝાંખી કરીએ. વિ. સં. ૧૩૧૫ માં કચ્છમાં અતિશય અનાવૃષ્ટિ થઈ. લોકો અને જાનવરે દુષ્કાળના પંજામાં સપડાયા. તે વખતે ભદ્રાવતી વાઘેલાના કબજામાં હતી, તેની પાસેથી કબજે લઈ જગડુશાહે પોતાના અનભંડાર અને વસ્ત્રભંડાર ખુલ્લા મૂકી દીધા. દાનની ગંગાને સ્રોત એ અવિરત વહાવ્યો કે દેશભરને દુષ્કાળનું દુઃખ દેખાયું નહિ. કવિઓએ તેને આવા અભૂતપૂર્વ કાર્યથી આકર્ષાઈ તેમને બિરદાવ્યા છે કે જાડ જીવતો મેલ, પનરે તેર પડું નહીં. નીચેની હકીકત પરથી જગડુશાહને માનવપ્રેમ, વાત્સલ્યભાવ અને આદ્રતા દેખાઈ આવશે. રેવાકાંઠા, સેરઠ અને ગુજરાતમાં ૩૩; મારવાડ, થાટ અને કચ્છમાં ૩૦; મેવાડ, માળવા અને હાલમાં ૪૦; ઉત્તર વિભાગમાં ૧૨ એ પ્રમાણે જગડુશાહ તરફથી દાનશાળા ઓ ચાલતી હતી. આ ઉપરાંત તેમણે વીસલદેવને ૮૦૦૦ મુડા, સિંધના હમીરને ૧૨૦૦૦ મુડા, દિલ્હીના સુલતાનને ૨૧૦૦૦ મુડા, ૧૮૦૦૦ મુડા માળવાના રાજાને અને ૩૨૦૦૦ મુડા મેવાડાધિપતિને અનાજના આપ્યા હતા. આવા દાનેશ્વરી જગડુશાહે આ પ્રાચીન નગરીના પુરાતન જિનાલયને જીર્ણોધ્ધાર કરાવેલ છે. ત્યારપછી ટૂંક સમયમાં ભદ્રાવતીનું પતન થયું. ત્યાંના જેને અન્યત્ર ચાલ્યા ગયા. મંદિરજી એક બાવાના હાથમાં ગયું. બાવાએ પ્રતિમાજી ઉપાડી લઈ ભેંયરામાં સંતાડી દીધા. આ સમાચાર જેનેને મળતાં ત્યાં આવી તેને સમજાવ્યો પણ તેણે પ્રતિમાજી ન આપ્યાં એટલે સંઘે મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૨૨માં કરી. આ પ્રતિમાજી પણ પ્રાચીન છે. તેની અંજનશલાકા વિ. સં. ૬રરમાં થયેલી છે. થોડા સમય પછી બાવાએ પાર્શ્વનાથજીની મૂતિ પણ પાછી આપી દીધી જે પાછળથી શ્રી સંઘે મૂળ મંદિરની પાછળ દેવકુલિકામાં બિરા જમાન કરી છે, જે હાલ વિદ્યમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy