________________
ચારણ મુનિપુંગવે નંદીશ્વરદ્વીપની યાત્રાએ જાય છે વગેરે હકીકત પણ એ જ સૂચવે છે કે પ્રાચીનમાં પ્રાચીન જૈન અંગ શાસ્ત્રદાહશાંગી અને બીજા આગમ શાસ્ત્રોમાં પણ તીર્થો-તીર્થયાત્રા અને જિનેશ્વર ભગવંતની પૂજા વિધિ વગેરે સુચારીત્ય ઉપલબ્ધ થાય છે.
જેમ પ્રાચીન જૈન સૂત્રમાં મૂર્તિપૂજાના પાઠ ઉપલબ્ધ થાય છે તેમ વૈદક સાહિત્યમાં પણ વેદ કાળથી તેવા પાઠે મલે છે. જુઓ, તેને માટે નીગ્ન ઉલેખ, “ મૂર્તિપૂજાની ઐતિહાસિકતા વેદકાળ જેટલી પ્રાચીન છે.” આ જ લેખમાં છેલે જણાવ્યું છે કે “ફકત ભારતમાં જ નહિ પણ જ્યાં જ્યાં હિંદ ધર્મની પ્રજાએ પગ જમાવ્યો ત્યાં હિંદુ દેવદેવીઓના વિવિધ સ્વરૂપને પ્રચાર, પૂજન, અર્ચન તેમજ દેવમંદિરનાં શિલ્પમાં ઉતર્યો. જાવા, કંબોડીયા, સુમાત્રા વગેરેમાંથી મળતાં હિન્દુ મૂતિઓનાં પ્રતિકેની સાક્ષી પૂરે છે."*
જનોએ જેમ તીર્થયાત્રા અને તીર્થસ્થાનનું મહત્વ, તેનું ગૌરવ. સાચવ્યું છે તેમજ એ પવિત્ર તીર્થસ્થાનોમાં પોતાનું સર્વસ્વ ખચી તીર્થસ્થાને સુંદર કલા અને શિલ્પથી શણગારવામાં પણ લગારે ૫છી પાની નથી કરી. પવિત્ર તીર્થભૂમિઓને પિતાનું સર્વર માની તીર્થભૂમિઓને અનુકૂલ ભવ્ય જિનમંદિર, સુંદર વેરાગ્ય રસભરપૂર જિનમૂર્તિઓ અને શ્રી તીર્થકર ભગવંતના પૂર્વભવે તથા મહાત્માઓના વિશિષ્ટ જીવનપ્રસંગેને પત્થરમાં આલેખી જીવંત સ્મરણે રજુ કર્યા છે. આમ કરી તેમણે ભારતીય પ્રાચીન શિપ સ્થાપત્યને-લલિત કલાને અને તેને રસત્કર્ષને જીવંત રાખે છે. બૌધ્ધોએ પણ કાવેરી-ઈલોરા-અને અજંતાની ગુફાઓમાં, બૌદ્ધ વિહાર મઠોમાં, સારનાથ સાંચીના મંદિરમાં અને મૂતિઓમાં જે અદભૂત શાંતરસ–વૈરાગ્યરસ, અપૂર્વ મદિરોની બાંધણી અને રચનામાં શિલ્પ કલાને જે ગૌરવભર્યું સ્થાન આપ્યું છે, તે ખાસ દર્શનીય છે. આવી જ રીતે વૈદિક ધર્માવલંબીઓએ પણ પોતાનાં તીર્થસ્થાનને, મૂતિઓને તેનાં વિવિધ આસને, વિવિધ મુદ્રાઓ, વિવિધ રૂપે અને અવતારોનું જે અદ્દભુત નિરૂપણ કરી શિ૯૫ કલાને જે ઉત્તેજન આપ્યું છે તે ખાસ દશનીય છે તેમજ રૂપાવતાર ' અને રૂપમંડન વગેરે ગ્રંથમાં મૂર્તિરચના-નિરૂપણ પ્રમાણે ચતુમુખ, પંચવકત્ર, શિવલિંગ, અર્ધનારીશ્વર, ગોપાલસુંદરી, સદાશિવ કે મહાસદાશિવ, વિષ્ણુ રામચંદ્રજી, સીતા, રૂદ્ર, હનુમાનજી વગેરે વગેરે અનેક આકૃતિઓ વિવિધ રૂપધારી મૂર્તિઓ બનાવી તીર્થોને શોભાવ્યા છે.
છેલે રાજા મહારાજાઓ, મુસલમાન બાદશાહ અને મુગલ સમ્રાટોએ ભારતીય કલાને જે રૂપે ઉત્તેજન આપ્યું છે તે સૌમાં તીર્થધામેનું શિલ્પ ઉત્કૃષ્ટ અને ઉત્તમ છે,
* ગુજરાતની કેટલીક અનન્ય પ્રતિમાઓ.” લેખક નિરાલાલ ભાઈ શંકર દવે કુમારને ૩૦૦ મો અંક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com