SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ; ૧૧૯ : ગિરનાર જગ્યા ઉપરના ચઢાવ કઠણ છે પણ પગથિયાં બાંધેલ ઢાવાથી ઠીક રહે છે. સત્ ૧૮૮૩ ના અશાડ શુદિ રના રાજ અખાજીનાં કમાડ જૈન દેરાસરનાં કારખાના તરફથી કરાવવામાં આવ્યા છે. આ મદિરની બાંધણી સંપ્રતિરાજા તથા દામેાદરજીના મદિર જેવી છે. એમ કહેવાય છે કે સ'પ્રતિનું મદિર, અંબાજીનું મદિર, દામેાદરજીનુ મહિર, માહી ગઢેચીનું મંદિર તથા જુનાગઢ શહેરમાં હાલના કસાઇવાડામાં સગી વાવ પાસેની મસ્જીદ જ્યાં છે ત્યાં એમ પાંચ જિનમંદિરા સમ્રાટ્સ પ્રતિએ અધાવેલાં હતાં માહી ગઢેચી ખાર સૈયદની જગ્યા તથા માજીમુના મકબરી પાસે છે. ત્યાંથી ૧૮૯૭ માં શ્રી મહાવીરસ્વામીની સુ ંદર પ્રતિમા નીકળી હતી. આ મૂર્તિને સ ૧૯૦૫ માં જુનાગઢ મેાટા દેરાસરજીમાં મૂલનાયક તરીકે બિરાજમાન કરવામાં આવેલ છે. આ સિવાય અઠ્ઠમાંગલિક તેમજ દ્વાર ઉપર તીર્થંકરની મૂર્તિએ વગેરે માહી ગઢેચીના પડી ગયેલા મકાનમાં જોવામાં આવેલ છે. એક શિલાલેખમાં સંપ્રતિરાજાના આદ્ય અક્ષર સં પણ વંચાય છે. 'બિકાદેવી શ્રી નેમિનાથજી ભગવાનની શાસનાધિષ્ઠાયિકા દેવી છે. તેનાં મદિરમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્ત્તિ પણ હતી. ખરેસ સાહેબ પણ એમ માને છે કે એક વખત આ જૈન મ`દિર હતુ. આ મદિરમાં ૫'. દેવચ'દ્રજીએ એક અતીતને રાખેલા જે ભવિષ્યમાં મંદિરના જ માલેક થઇ ગયા એવી દંતકથા છે. ( જી. ગિરનાર માહાત્મ્ય રૃ. ૩૪ ) ત્રીજી, ચેાથી તથા પાંચમી ટૂંક અંબાજીની ટૂંક મૂકી આગળ જતાં ‘એલ' શિખર આવે છે, તેને ત્રીજી ટૂંક હે છે. અહીં ભગવાન નેમિનાથજીની પાદુકા છે. આ પાદુકા ઉપર વિ. સ. ૧૯૨૭ વૈશાખ શુ. ૩ નિના લેખ છે. માજી ધનપતસિંહજી પ્રતાપસિંહજીએ પાદુકા સ્થાપી છે. અહીંથી ૪૦૦ પુટ નીચે ઊતરી રહ્યા પછી ચાથી ટ્રક આવે છે. રસ્તા કઠણુ છે. અહીં મેાટી કાળી શિલા ઉપર શ્રી નેમિનાથજીની પાદુકા છે. તેના ઉપર વિ. સં. ૧૨૪૪ ની પ્રતિષ્ઠાના લેખ છે કહે છે, કે ભગવાન શ્રી નેમિનાથજી અહીં મુક્તિ સીધાવ્યા હતા. ત્યાંથી પાંચમી ટૂકે જવાના સીધા રસ્તા છે પણ તે રસ્તે કઠણુ છે. પાંચમી ટુક ઉપર દેરીમાં મેટા ઘંટ છે. તેની નીચાણુમાં નેમિનાય લગથાનનાં પગલાં તથા પ્રતિમાજી છે. નીચે આ પ્રમાણે લેખ છે— सं. १८९७ प्रथम आसो वद ७ मे गुरुवासरे शा. देवचंद लखमीचंदेन जिनालयं प्रतिष्ठितम् । પાંચમી ટૂકથી પાંચ સાત પગથિયાં નીચે ઉતરતાં એક માટા શિલાલેખ છે, ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy