________________
-
'
ગિરનાર
: ૧૨૨ :
[ જૈન તીર્થોને વાજાની બહાર જમણી બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબિકાદેવીની મૂર્તિ છે. શ્રી નેમિનાથજીની ટૂંકમાં ઉત્તર તરફ નીચે ઉતરવાને દરવાજે આવે છે. તેમાં ઓસરીમાં એક પ્રાચીન શિલાલેખ છે. ત્યાંથી પગથિયાં ઉતરી નીચે જઈએ એટલે શ્રી ઋષભદેવજી–અદબદજીની સુંદર મૂર્તિ આવે છે. અષભનું લાંછન સ્પષ્ટ દેખાય છે. ખભા ઉપર બન્ને બાજુ કાઉસ્સગ્ગીયા છે. જેમ્સ બજેસ સાહેબ લખે છે કે-આ મૂર્તિની બેઠકમાં ચોવીશ તીર્થકરની મૂર્તિવાળે એક પીળો પથ્થર છે તેમાં વિ. સં. ૧૪૬ન્ને લેખ છે. અદબદજીની સામે પાંચ મેરુનું સુંદર મંદિર છે. ચાર બાજુ ચાર અને વચમાં એક મેર છે. દરેકમાં ચોમુખ પ્રતિમાજી બિરાજમાન છે. તેમાં દરેકમાં ૧૮૫૯માં પ્રતિષ્ઠા થયાને ઉલેખ છે.
મેરકવશીની ટૂક શ્રી અદબદજીના મંદિરમાંથી ડાબી બાજુના દરવાજામાં થઈ મેરકવશીમાં જવાય છે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ બિરાજમાન છે. તેમાં ૧૮૫૯ને લેખ છે. પ્રતિષ્ઠાયક વિજય જિનેન્દ્રસૂરિજી છે. મૂળનાયકની આસપાસ ૭ પ્રતિમાઓ છે, ભમતીમાં ૫૮ પ્રતિમાઓ છે. દક્ષિણ તરફની ભમતીમાં અષ્ટાપદ પર્વત છે જેમાં ૨૪ પ્રતિમાઓ છે. ઉત્તર તરફની ભમતીમાં ચામુખજીનું મંદિર ખૂબ દર્શનીય છે. આ ટ્રકમાં પાંચ મેરુના મંદિર સહિત કુલ ૧૧૩ પ્રતિમાઓ છે. આ ટૂક શ્રી સિદ્ધરાજના મંત્રી સાજને બંધાવેલ છે. ગૂજરાધીશ સિધ્ધરાજે સજજનને સૌરાષ્ટ્રને દંડનાયક નીમ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજમાંથી ગિરનાર ઉપર સુંદર જીર્ણોધ્ધાર કરાવ્યા. ત્રણ વર્ષની ઉપજ સિદ્ધરાજને ન મળવાથી તે ગુસ્સે થઈ જુનાગઢ આવ્યું. સજજને જુનાગઢ અને વંથલીના શ્રાવક પાસેથી ધન મેળવી સિધ્ધરાજને ચરણે ધર્યું અને કહ્યું કે-જોઈએ તે જીર્ણોધ્ધારનું પુણ્ય હાંસલ કરો અને જોઈએ તો આ ધન એ. રાજા સત્ય હકીકત જાણું અત્યંત ખુશ થયા. બાદ આવેલા ધનથી શ્રાવકના કહેવાથી સજજને આ મેરકવશી ટૂક બનાવા. જીર્ણોધ્ધારમાં ર૭ લાખ દ્રમને ખર્ચ થયા હતા. આ દ્રવ્ય આ ટ્રકમાં ખર્ચાયું છે. કારણ વગેરે શિલ્પ બહુ જ સુંદર છે. આ વખતે સાજનને ભી કુંડળીયા નામના શ્રાવકે બહુ જ મદદ આપી હતી. તેણે અઢાર રનનો હાર પ્રભુજીને પહેરાવ્યો અને ભીમકંડ બંધાવ્યું હતું. આ દૂકના ચેમુખજીના મંદિરમાં વિ. સં. ૧૮૫૯ના લેખે છે.
આ ટુક મેકલશાએ બંધાવ્યાનું કેટલાક કહે છે ત્યારે કેટલાક આ ટૂકને ચંદરાજાની ટૂક પણ કહે છે.
સગરામ સોનીની ટૂંક મેરકવશીમાંથી સગરામ સોનીની ટ્રકમાં જવાય છે. સગરામ સોની પંદરમી શતાબિના ઉત્તરાર્ધમાં થયા છે. વીરવંશાવલીમાં લખ્યું છે કે રાગરામ ની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com