SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] = ૧૧૫ : વાલા - ઘોઘાર શ્રી નવખંડા પાર્શ્વનાથ ભાવનગરથી લગભગ થી ૮ ગાઉ દૂર ઘોઘા બંદર છે. અહીં શ્રી નવખંડ પાર્શ્વનાથજીનું સુંદર પ્રાચીન તીર્થ છે. નવખંડા પાર્શ્વનાથજીની મૂર્તિની વિ. સં. ૧૧૬૮માં શ્રી અજિતદેવસૂરિજીના સમકાલીન આચાર્ય મહેન્દ્રસૂરિજીએ અંજનશલાકા કરાવી છે. મૂતિ કરાવનાર શ્રાવક ઘવાબંદરના શ્રીમાલી નાણાવટી હારૂ શઠ હતા. અધિષ્ઠાયક દેવના અસાવધાનીમાં આ ચમત્કારી મૂર્તિને રૂંછામુસલમાનોએ ભંગ કર્યો હતો અને નવ ખંડ કર્યા હતાં. પછી અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં જણાવ્યું કે-રના પિલમાં ભરી રાખી (કઈ લાપસીમાં કહે છે, તેને છ મહિના પછી કાઢજે એટલે સાંધા મળી જઈ પ્રતિમાજી અખંડિત થઈ જશે. શ્રાવકેએ તે પ્રમાણે કર્યું વુિ સાંધા મજ્યા કે નહિં તેની અધીરાઈથી છ મહિના પહેલાં તે મૂર્તિને જોઈ. ખંડતે જોડાઈ ગયા, પરંતુ સાંધા બાકી રહી ગયા. આજે પણ નવ સાંધા જણાય છે. આ કારણથી આ મૂર્તિનું નામ નવખંડા પાશ્વનાથ પડયું. મૂર્તિ ઘણી જ ચમત્કારી,પ્રાચીન અને દર્શનીય છે. ઘાવામાં બીજું પણ એક મંદિર છે. ઘોઘાથી સીધા પાલીતાણે પણ જવાય છે, નહિં તે ત્યાંથી પાછા ભાવનગર અવાય છે. - ભાવનગરમાં ચાર સુંદર જિનમંદિરો છે. ગામ બહાર દાદાજીનું ( મહાવીર સ્વામીનું ) મંદિર બહુ જ સરસ છે. ભાવનગરમાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાનું સુંદર વિશાલ ભુવન-પુસ્તકાલય, શ્રી આત્માનંદ જનભુવનલાયબ્રેરી વગેરે ખાસ દર્શનીય છે. “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” (માસિક) “આત્માનંદ પ્રકાશ” (માસિક) “જન પત્ર (સાપ્તાહિક) વગેરે અહીંથી પ્રકાશિત થાય છે. જેન બોડીંગ, જન ભેજનશાળા; યશોવિજય ગ્રંથમાલા, જન કન્યાશાળા, દવાખાનું વગેરે ચાલે છે. કાઠિયાવાડમાં મુખ્ય શહેર છે. એક સમયે દરેક ધાર્મિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન ભાવનગર હતું. વિ. સં. ૧૭૭૯ના અક્ષયતૃતીયાને રોજ પહેલા ભાવસિંહજી મહારાજે આ નગર વસાવેલ છે. તે પહેલાં તે વડવા ગામ જ હતું. તેની નજીકમાં સમુદ્રકિનારે આ શહેરની સ્થાપના કરવામાં આવી અને ક્રમે ક્રમે વિકાસ સાધી આજે એ કાઠિયાવાડનું પ્રથમ પંક્તિનું શહેર બન્યું છે. ભાવનગર એ કાઠિયાવાડની જન પુરી છે. આજે લગભગ સાત હજાર અને ભાવનગરમાં વસે છે. સંપ, સંગઠ્ઠન અને સાહિત્યને માટે ભાવનગર આદર્શરૂપ છે. નવખંડા પાર્શ્વનાથજીની એક ગૃતિ ખંભાતમાં પણ છે. જીરાવલામાં પણ નવખંડા પાશ્વનાથજીની મૂર્તિ છે. વલભીપુર આ સ્થાન કાઠિયાવાડમાં બી. એસ. રેલ્વેના ઘેળા જંકશનથી ૩ ગાઉ દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy