SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ---ઈતિહાસ ] : ૧૦૭ :. ઉપસંહાર બનાવીને બંને દેહરી ને એક સાથે બનાવી દીધી. આ સ્થાન પણ ઘણું જ પ્રાચીન, ચિત્તાકર્ષક અને પવિત્ર છે. ગિરિરાજમાં અનેક પ્રકારની ઉત્તમ ઔષધીઓ અને સકંપિકાએ પશુ છે પણ એ તે “ પુણવંત લહે ભવી પ્રાણું” ત્યાંથી આગળ ચાલતા ભાડવાના ડુંગરનું નીચે પ્રમાણે સ્થાન આવે છે. અત્રેથી નીચે ઉતરતા તરત તળેટી આવે છે. જ્યાં સિદ્ધવડ છે તેનો પાસે અદિનાથ ભગવાનની પાદુકાની દહેરી આવે છે જેની નજીકમાં એક વાવ છે. છ ગાઉને લાંબો અને રળીયામણે પંથ કાપી આવતા યાત્રિકે અત્રે ભાતું વાપરે છે. છ ગાઉની યાત્રામાં આ બધા સ્થાને આવે છે. ખાસ ફ.. ૧૩ નું અહીંની યાત્રાનું ખાસ મહત્વ છે. તેનું કારણ એ છે કે-ફ. શુ. ૧૩ કૃષ્ણ વાસુદેવના પુત્ર શાંબ પ્રદ્યુમ્ન સાડી આઠ ક્રોડ મુનિવરો સાથે મુક્તિ પધાર્યા છે, તેમની દેહરીઓમાં પાદુકાઓ છે, સ્થાન ઘણું જ પ્રાચીન અને પવિત્ર છે. ઘેટીની પાગનું સ્થાન પણ પ્રાચીન છે. ભગવાન શ્રી ઋષભદેવજીએ તલાટી પછી ગિરિરાજ ઉપર પ્રથમ પગ ધર્યા તે આ સ્થાન છે. આ યુગમાં જાવડશાહના સમયે આ સ્થાનનો જીર્ણોધ્ધાર થયે હતું અને ત્યારપછી સુધારાવધારા થતા જ આવ્યા છે પણ સ્થાન પ્રાચીન છે. આવી જ રીતે ગિરિરાજ ઉપર જ્યાંથી દાદાના શિખરનાં દર્શન થાય છે, તે વિશાલ પટ ને દેહરી-સ્થાન છે તે પણ ઘણું જ પ્રભાવિક–પ્રાચીન અને પુનિત છે. આ સ્થાન પર ઋષભદેવ પ્રભુજીનાં પુત્ર દ્રાવિડ ને વારિખિલ આદિ દશ ક્રોડ મુનિવરે સાથે કાર્તિકી પૂર્ણિમાએ મોક્ષે ગયા છે. તેમ જ શ્રી નેમિનાથ પ્રભુજીના તીર્થમાં થયેલા અર્ધમત્તા મુનિજી, નારદઋષિજી આદિ પણ આ સ્થાન પર મેસે ગયા છે, થાવરચ્ચા પુત્ર, સેલગ મુનિ અને ગજસુકુમાલ મુનિવરો પણ અહીં મેસે ગયા છે, જેને ઉલ્લેખ જ્ઞાતાસૂત્રમાં મળે છે. સુપ્રસિધ્ધ રામચંદ્રજી અને તેમના બધુ ભરતરાય ત્રણ ક્રોડ મુનિવરો સાથે અહીં મોક્ષે ગયા છે, જેમની યાદીમાં આ સ્થાન પર પાદુકાઓ-સ્મૃતિરૂપે વિદ્યમાન છે. હાલન વિશાલ સુદર ચઢવાને રસ્તો પણ મહારાજા કુમારપાલના રામ થે ડે, ત્યારપછી વસ્તુપાલ તેજપાલના સમયે, ત્યારપછી જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહા– અપૂર્વ સંઘ લઈને આવ્યા ત્યારે અને છેલે શેઠ હેમાભાઈ પ્રેમાભાઈએ ચઢાવને માર્ગ યાત્રીઓને સુલભ કરી આપ્યો છે. ' * આ તીર્થની બાર ગાઉની યાત્રામાં આવતાં કદંબગિરિ અને હસ્તગિરિ પણ * પ્રાચીન સ્થાનો અને આ ગિરિરાજનાં શિખરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy