________________
ઈતિહાસ ]
શ્રી શત્રુંજય બારીમાંથી બહાર નીકળી આગળ નીચે ઉતરવાનું છે. વચમાં એક દેરી આવે છે જેમાં વીશ પ્રભુના ચરણકમલ છે–પાદુકાઓ છે. પાસે જ વિસામે છે. અહી ત્રાષભદેવ પ્રભુ પ્રથમ પધાર્યા હતા. ત્યાંથી નીચે ઉતરી આગળ જતાં ગિરિાજના છેડા ઉપર સુંદર જાળીવાળી દેરી છે, જેમાં શ્રીવીશ પ્રભુની પાદુકાઓ છે. અહીં દર્શન કરી ઉપર જઈ દાદાના દર્શન પૂજન વગેરે કરે તેને બે યાત્રા થાય છે. ૬ દેઢ ગાઉની પ્રદક્ષિણું
રામપળની બારીથી બહારના ભાગમાં કિલ્લાની કેરના બાજુના તેથી ફરતાં, કિલ્લાનાં દરેક મંદિરની પ્રદક્ષિણ તથા નવે ટુંકને ફરી બહારની બારીથી હનુમાન ધાર આવી દાદાની ટુંકમાં જઈ દાદાના દર્શન કરે છે તેને દેઢ ગાઉની પ્રદક્ષિણા કહેવામાં આવે છે.
સિધ્ધગિરિની યાત્રાએ આવનાર દરેક યાત્રાળુ શત્રુંજયી નદી, દેઢ ગાઉની પ્રદક્ષિણા, ઘેટીની યાત્રા, રોહીશાળાના પાનની યાત્રા, છ ગાઉ અને બાર ગાઉ વિગેરેની યાત્રાને લાભ અવશ્ય ચે છે. અને આટલી યાત્રા કરે ત્યારે જ યાત્રા પૂર્ણ થઈ એમ મનાય છે.
આ સિવાય શત્રુજય ગિરિરાજની પંચતીર્થની પણ યાત્રા અવશ્ય કરવા યોગ્ય છે. તેનાં મુખ્ય ગામો નીચે મુજબ છે-નીચે આપેલાં દરેક ગામમાં શ્રાવકેના ઘર, સુંદર મન્દિર અને ધર્મશાલાઓ છે. તેમાં તળાજા, મહુવા અને ઘોઘા તીર્થસ્થાન છે. પાલીતાણેથી જેશર, છાપરીઆળી, મહુવા, દાઠા, તળાજા, ત્રાપજ, તણસા, ઘોઘા, ભાવનગર, વરતેજ અને શિહોર થઈ પાછા પાલીતાણા અવાય છે. બધે સ્થાને જવાને વાહને પાલીતાણેથી જ મળે છે. (મહુવા અને તળાજા, ઘેઘા વગેરેનું વર્ણન આગળ આવે છે. ) શ્રી શત્રુંજય તીર્થ સંબંધી કેટલીક પવિત્ર વસ્તુઓની
ઓળખાણ અને તેને અદ્દભૂત મહિમા. રાજાની (રાયણું વૃક્ષ) અને તેની નીચે રહેલાં પ્રભુનાં ચરણ.
આ રાયણનું વૃક્ષ શ્રી કષભદેવજી ભગવાનની પાદુકાવડે પવિત્ર ગણાય છે. ભગવાન અહીં નવાણું પૂર્વ વાર સમવસર્યા છે. ચોરાશી લાખ વર્ષનું એક પૂવગઃ તેને ચોરાશી લાખે ગુણતાં આવે તે પૂર્વ એવા પૂર્વ નવ્વાણુંવાર શ્રી રાષભદેવજી ભગવાન અહીં પધાર્યા હતા. આથી આ રાયણ તીર્થની તુલ્ય વંદ્ય છે. તેને પત્ર, ફળ તથા શાખા ઉપર દેવતાઓને વાસ હોવાથી પ્રમાદથી તે તેડવા કે છેદવા નહી. - જ્યારે કઈ સંઘપતિ પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણું દે છે ત્યારે જે તે રાયણે તેના ઉપર હર્ષથી દૂધ વષવે છે તો તે ઉભય લેકમાં સુખી થાય છે. જે તેની શુધ્ધ દ્રવ્યથી આદર સહિત પૂજા કરવામાં આવે તો તે રાવપ્નમાં આવી સર્વ શુભાશુભ કહી દે છે. વળી તેની આદર સહિત પૂજા કરવાથી ભૂત, વૈતાલ, શાકિની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com