SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થને ૧ ઉલકા જલની દેરી. આમાં આદિનાથ ભગવાનની પાદુકા છે. મૂલમંદિરમાંથી શ્રી આદિનાથ ભગ વાનના વણનું પાણી જમીનવાટે વહેતું અહીં સુધી આવતું એમ કહેવાય છે હાલમાં તેમ નથી. બારેટે એક ખાડામાં હવણ જલ ભરે છે. યાત્રાળુઓ અહીં ચૈત્યવંદના કરે છે. –અહીંથી થોડે દૂર૨ ચિલણ તલાવડી. ચિલણ તલાવડી ઉપર શ્રી અજિતનાથ અને શાંતિનાથજીની પાદુકાઓ છે. પાસે સિધ્ધશિલા છે, તેના ઉપર સુઈને યાત્રિક સિદ્ધશિલાનું ધ્યાન ધરતા કાઉસ્સગ કરે છે. ચિલ્લણ મુનિ કે જેઓ ભગવાન મહાવીરના શિષ્ય હતા તેઓ સંઘ સહિત અત્રે આવ્યા ત્યારે યાત્રિકના તૃષા-ઉપદ્રવને શાંત કરવા લબ્ધિથી આ સ્થાન પ્રગટાવ્યું હતું. ચિલ્લણ મુનિરાજના સ્મરણરૂપે લેકે આ સ્થાનને ચિલ્લણ તલા. વડીથી સંબોધે છે. યાત્રિકો આ સ્થાને પવિત્ર થાય છે. ધ્યાન કરે છે. દુષ્કાળના સમયે પણ અહીં પાણી સુકાતું નથી. અહીં દર્શન કરી સામે દેખાતા ભાડવાના ડુંગર ઉપર જવાય છે. ભાડવાના ડુંગર ઉપર કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડીઆઠ કરોડ મુનિઓ સાથે મુક્તિ પધાર્યા હતા. દેરીની નજીકમાં એક કુંડ છે જે શેઠ ભગુભાઈ પ્રેમચંદે સુધરાવે છે. ફ. શુ. ૧૩ના દિવસે અહીની યાત્રાનું મહત્ત્વ આ પહાડની યાત્રાને માટે જ છે. ત્યાંથી યાત્રા કરી નીચે ઉતરી સિદ્ધવડની યાત્રા કરે છે. અહીં આદિનાથ ભગવાનની દેરી છે. પાણીની વાવ છે. નજીકમાં ભાતું અપાય છે. આ સ્થાને અનંત મુનિ મહાત્માઓ મુક્તિ પધાર્યા છે. ફ. શુ. ૧૩ મોટો મેળો ભરાય છે. અહીંથી પગ રસ્તે પાલીતાણા બે ગાઉ દૂર છે. યાત્રાળુઓ પગે અથવા વાહનમાં શહેરમાં જાય છે. ૨. બાર ગાઉની પ્રદક્ષિણા પાલીતાણા શહેરથી તલાટી રેડને રસ્તે કલ્યાણવિમલજીની દેરીની પાસેથી શત્રુંજી નદીએ જવાય છે. નદીના કાંઠે પાંડેરિયું ગામ છે. ત્યાં થઈ નદી ઉતરી આગળ જવાય છે. - આ રસ્તામાં પથરા, કાંટા અને કાંકરાનું પૂરેપૂરું જોર હોય છે. પ્રથમ પાંડે રીયું ગામ આવે છે. પછી ભંડારીયું ગામ આવે છે. પાલીતાણાથી ભંડારીયું ૪ થી ૫ ગાઉ દૂર છે. ભંડારીયામાં સુંદર જિનમંદિર, ધર્મશાળા, ઉપાશ્રય વિગેરે સગવડ ડતા છે. શ્રાવકેનાં ઘર ૧૫ થી ૨૦ છે. ભાવિક છે. અહીંથી કદંબગિરિનાં મંદિર વિગેરે દેખાય છે. ભંડારીયાથી બેદાનાનેસ અઢીથી ત્રણ ગાઉ છે. બોદાના નેસમાં પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદે. શથી સુંદર ત્રણ ધર્મશાળાઓ, ઉપાશ્રય અને બાવન જિનાલયનું ભવ્ય જિનમંદિર વિગેરે બંધાયેલ છે. મલનાયક શ્રી મહાવીર પ્રભુજીની ભવ્ય મૂર્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy