SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થોને નભાઈ કરમચંદ તથા લલુભાઈ જમનાદાસનાં દેહરા પણ બંધાવા માંડ્યાં હતાં. આ ટુંકમાં ૧૮ટ્સ માં સાકરચંદ શેઠે પ્રતિષ્ઠા કરી ત્યારથી આ ટુંક સાકરસી તરીકે જ પ્રસિદ્ધ છે. તેમાં ત્રણ દેહરા અને એકવીશ દેરીઓ છે. ૧ ચિંતામણી પાર્શ્વનાથનું દેહરું શેઠ સાકરચંદ પ્રેમચંદ ૧૮૯૩માં પ્રતિષ્ઠા કરી પંચ ધાતુની સુંદર શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ૨ પદ્મપ્રભુજીનું મંદિર ૧૮૯૩ માં શેઠ લલુભાઈ જમનાદાસે પ્રતિષ્ઠા કરી ૩ પદ્મપ્રભુજીનું મંદિર ૧૮૯ માં શેઠ મિનભાઈ કરમચંદે પ્રતિષ્ઠા કરાવી. છીપાવસહી આ ટુંક સં. ૧૭૧ માં ભાવસાર (છીપ) જેનેએ બંધાવી છે. યદ્યપિ આ ટૂંક નાની છે છતાં ય જૈન સંઘ કે ઉદાર અને મહાન છે, જે અનેક જાતિઓ અને ઉપજાતિઓથી ભરેલે છે છતાંય દરેકને એક સરખે જ આદર અને માન આપે છે. આ ટુકમાં ત્રણે દહેરાં અને ચાર દેરીઓ છે. ૧. રાષભદેવજીનું મંદિર–૧૭૮૧ માં છીપા જૈનોએ આ મંદિર બંધાવ્યું છે. ૨. શ્રી પ્રભુનું દેહરૂં–સં ૧૭૯૮માં બંધાયું છે. આ મંદિર સાકરસીના ગઢ જોડે જ આવેલું છે. ૩. શ્રી નેમનાથ પ્રભુજીનું મંદિર–સં ૧૭૯૪ માં શા હરખચંદ શિવચંદે બંધાવ્યું છે. છીપાવસીમાં નેમનાથ ભગવાનના દેરા પાસે રાયણ આગળની છ દેરીમાં છેલ્લી એક દેરીમાં અજિતનાથજી અને બીજી દેરીમાં શાંતિનાથ પ્રભુની પ્રતિમાઓ છે. કહે છે કે પ્રાચીન કાલમાં આ બન્ને દેરીઓ સામસામે હતી પરંતુ શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય શ્રી નંદિષેણુજીએ અજિતશાંતિ તવ બનાવ્યું તે વખતે બન્ને દેરીઓ એક સાથે લાઈનમાં થઇ ગઈ પરંતુ મિ. કેરડીયા પોતાની એક બુકમાં આ કથાને નિષેધ કરતાં લખે છે કે “શ્રી અજિતનાથ ભગવાન સિધ્ધગિરિ ઉપર ચાતુમાસ પધાયા ત્યારે રાયણ પાસે થઈ “ભદ્રકગિરિ શૃંગની નીચે તલાવડી આસપાસની ગુફા અને ટેકરી તથા છૂટક જમીન પર સ્થિર થયા. ઇન્દ્રમહારાજે અહીં એક ભવ્ય પ્રાસાદ બંધાવ્યું. પ્રભુજી જ્યાં કાઉસ્સગ ધ્યાને રહ્યા હતા ત્યાં ચરણપાદુકા સ્થાપી દેરી બાંધી. - બાદમાં ઘણા સમય પછી સળમાં શાંતિનાથ ભગવાન (૧પરપપ૭૭૭) ચાતુ. મોસ ઉપરના સ્થાને જ પધાયા. ચાતુમાસ બાદ જ્યાં શાંતિનાથ પ્રભુજી કાઉસ્સધ્યાને રહ્યા હતા ત્યાં ચરણપાદુકા સ્થાપી દેરી બનાવી. આ બન્ને દેરીઓ સામસામે હતી. યાત્રિકોને દર્શન કરતાં અગવડ પડતી–આશાતના થતી, શ્રી નદિષેણ મુનિજીએ અજિતશાંતિ બનાવી બને દેરીએ એક લાઈનમાં થઈ ગઈ આ બન્ને દેરીઓ હાલની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy