SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય [ જૈન તીર્થને આ ધમવીર પુરુષે સ્થાપિત પ્રભુજીની વર્ષગાંઠ વૈશાખ વદિ ૬ દરવર્ષે પાલીતાણામાં અને અન્ય શહેરોમાં પણ જૈન સંઘ ઉત્સવપૂર્વક ઉજવે છે અને કર્મશાહના ગુણગ્રામ ગાવા સાથે પ્રભુભક્તિ કરે છે. ભારતના સમસ્ત જૈન સંઘે આ મહાન ઉપકારી પુણ્ય પ્રભાવક પુરુષના ગુણસ્મરણ કરી આત્મહિતમાં પ્રયત્નશીલ થવાની જરૂર છે. જે મૂલ મંદિરમાં આ મૂર્તિ સ્થાપિત છે ત્યાં ગભારામાં સુંદર નકશીવાળાં રૂપાનાં કમાડ બનાવવામાં આવ્યાં છે. પ્રલનાયકજીને ફરતી સુંદર રૂપાની છત્રી બનાવી છે. મૂલ ગભારામાં રૂપાનું ભવ્ય છત્ર સં. ૧૯૪૩માં શા. નાથાલાલ નીહાલચંદે બનાવરાવેલું છે. આખું ગર્ભદ્વારા મોટા ઝુમ્મર, હાંડીઓ અને તકતાથી શોભિત છે. તેમજ સ્થાને સ્થાન પર અનેક સુંદર જિનમૃતિઓ સ્થાપેલી છે. આ ગભારે બહું જ ગંભીર, પવિત્ર અને સુંદર વૈરાગ્યમય વાતાવરણથી ભરેલો છે અને દેશકને ત્યાંથી ખસવાનું મન પણ ન થાય તેવું રમણીય દશ્ય ત્યાં દેખાય છે. મૂળ ગભારામાં શ્રી આદિનાથજીના પરઘરની પ્રતિમાજી સાથે પ્રતિમા ૫૮, રંગમંડપમાં પ્રતિમાજી ૯૧, ધાતુનાં સિદ્ધચક ૨, પાષાણનાં સિદ્ધચક ૧ તથા રૂપીઆને સાથીયો ૧ છે. માળ ઉપર ચૌમુખજી સાથે પ્રતિમા ૮૧, પગલાં જેડ ૨ તથા વિજય શેઠ અને વિજયા શેઠાણું જેડ ૨. રંગમંડપમાં શ્રી આદીશ્વરજીની સામે હાથી ઉપર ભરતચક્રવર્તી તથા મરુદેવી માતા છે. એ હાથી આરસને છે. મૂલનાયકજીના દેરાસરને લગતી ફેર દહેરીઓ ૫૪ છે, ગોખલામાં પ્રતિમાજી જેડ ૨૩, સરસ્વતી દેવીની પ્રતિમા ૧, શ્રી ગૌતમસ્વામીજીની પ્રતિમા ૩ તથા હાથ જોડીને ઊભેલી વિજય શેઠ વિજયા શેઠાણીની મતિ છે. ઉત્તરની ચેકીના થાંભલા ૨ માં ગેખલા ૨ માં પ્રતિમાજી ૩ શ્રી હૈદ્રાબાદવાળા શા બદરમલજી ઠઠ્ઠાની પધરાવેલી છે. રથયાત્રાને ચેક દાદાજીના દહેરાંના સુશોભિત સમચોરસ ચેકમાં રથયાત્રા કાઢવામાં આવે છે. ઘણી ઉત્તમ નકસીવાળ સેના-ચાંદીને રથ, સોના-ચાંદીની પાલખી, સેનાચાંદીને રાવણ હાથી, સુંદર ગાડી, સોનાના મેર આદિ બહુ મૂલ્યવાનું વાહનાદિ | વિજયા શેઠ તથા વિજયા શેઠાણી-એકને શુકલપક્ષમાં બ્રહ્મચર્યપાલનને નિયમ હતો, એકને કૃષ્ણપક્ષમાં. કુદરતે એ બેને સંયોગ સાધી કસોટી કરી. પરણ્યા. કસોટીએ સુવર્ણ સંપૂર્ણ શુદ્ધ નીવડયું. આજીવન તેઓએ બ્રહ્મચર્ય પાલન કરી સદ્ગતિ સાધી. અપવાદ, બારી, છીંડું કાંઈ ન શોધ્યું ! આત્મહિતના નાદ પાસે આવા આત્માઓ જગતના તમામ વાદને તુચ્છ ગણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy