SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૫૭ : [ શ્રી શત્રુ་જય ૨૯. પાસે રસ્તા ઉપર અમદાવાદવાળા શા. છગનલાલ સૌભાગ્યચ ંદે સ ંવત ૧૯૨૧ માં બંધાવેલી દહેરી ૧ ને પ્રતિમાજી ૫ છે. ૩૦, વૃક્ષ નીચેના ચેાતરા ઉપર પગલાં જોડ ૨૧. ૩૧. હાથીપાળની પાસે શ્રી ઋષભદેવજી ભગવાનનુ' ( દાદાજીનું) દેરાસર એક છે. આ દેરાસર મહારાજા કુમારપાલનું બંધાવેલુ હાવાથી તેમના નામથી ઓળખાય છે, મલિન વિદ્યાના ચેાગે, સ્વાથી સંસારના આક્રમણને ભેગ અનેલ ચંદરાજા કુકડા બન્યા હતા તે જેના ચેાગે ફરીને મનુષ્યાકાર પામ્યા, ફરીને મૂલ સ્વરૂપ પામ્યા એવા જલ–પ્રભાવવાળા અસલ સૂરજકુંડ ઉપર આ દેરાસર યુગપ્રધાનાચાય કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રાચાય શ્રીના વચનાનુસાર પરમ શ્રાદ્ધવ કુમારપાલ ભૂપાલે બધાવેલુ છે. કાળના પ્રભાવને લીધે તે પવિત્ર જલના દુરુપયેાગ ન થવા દેવાને આમાં હેતુ જણાવવામાં આવે છે. આવતી ચેાવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ ભગવાન્ (રાજા શ્રેણિકના જીવ-જે વતમાન શાસનનાયક ભગવાન્ શ્રી મહાવીરસ્વામીજીના અનન્ય ભક્ત હતા ને) ના પ્રથમ ગણધર શ્રી કુમારપાલ રાજાના જીવ થનાર છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાય ના શ્રી કુમારપાળ મહારાજા પરમ ભક્ત હતા. આ દેરાસરજીમાં પરાણા તરીકેની પ્રતિમાજી પર સાથે પ્રતિમાની કુલ સંખ્યા ૧૩૪ તથા પગલાં જોડી ૧૧. જવાની ખારીની ૩૩. આગળ જતાં સુરજકુંડ, તેના ઉપર પગલાં જોડ ૧ રીખવદેવજીની છે. તેની પાસે ફૂલવાડી તથા જાત્રાળુને નહાવાની જગ્યા છે. તેની છત્રી પત્થરની છે. આપણા શલાટ કારીગરા તથા ડુંગરના નાકરીઆત વગ ને પૂજા દર્શન વાસ્તે એકસ્થાને મહાદેવ બેસાડેલા છે. પાસે ભીમકુંડ વગેરે છે. જમણા હાથ તરફનાં દહેરાં ૩૪. વાઘણ પાળમાં પેસતાં જમણી તરફ પ્રથમ-પહેલી ટુંક શેઠ નરસી કેશવજી નાયકની આવે છે. આ ટુંક સંવત ૧૯૨૮માં અંધાવેલી છે. તેના મંદિર દહેરી તથા પ્રતિમા વગેરેની વિગત નીચે મુજબ– પંચતીથી નું દેરાસર ૧. આ મૂલ દહેરામાં આગલ સમવસરણની મધ્યમાં શ્રી શત્રુંજય ગિરિરાજની, ઉત્તર તરફ મેરુપ તની, દક્ષિણ તરફ શ્રી સમેતશિખરજીની તથા પશ્ચિમ તરફ શ્રી અષ્ટાપદજીની રચના છે. આ રીતે પાંચ તીની રચના એક ભમતીના વચગાળે લાખંડના કમર સુધીના કઠાડાવાળી ' ૩૨. શ્રી કુમારપાલ રાજાની દેરાસરની પાસે સુજકુંડ સામે ઇશ્વરકુંડ ઉપર દહેરી ૧ છે, તેમાં પગલાં જોડ ૧ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy