________________
શ્રી શત્રુજય
: ૫૮ :
[ જૈન તીર્થોને જાળીમાં આવેલી છે. બે ખૂણે બે દહેરી એક એક ગભારાની છે તથા એ રચનાની આસપાસ ત્રણ પીઠિકા ઉપર પણ પ્રતિમાજી ૧૭૪ તથા એક ગૌતમસ્વામીજીની મૂર્તિ છે, તે તમામ મળી પાષાણની પ્રતિમા ૨૩૩ તથા ધાતુની પંચતીર્થી પ્રતિમા ૧૨ તથા ધાતુ એકલવાની પ્રતિમા ૧૭, ધાતુના સિદ્ધચક ૪ તથા પગલાં જડ ૧ છે. એ દહેરાની નીચે ભેંયરામાં પણ પ્રતિમાજી ૬૧, ધાતુની પંચરતીથી ૩, અષ્ટમંગલિક ૧ છે.
૩૫. ઉપર જણાવેલા મૂલ દેરાસરજી (પંચતીર્થીના દેરાસરજી) સામે શ્રી પુંડરીકસ્વામીજીનું દહેરું છે. શ્રી શત્રુંજય ગિરિરાજના અનેક નામમાં શ્રી પુંડરીક ગિરિ પણ છે તે ગણધર ભગવાન્ શ્રી પુંડરીકજીને આશ્રીને છે. પાંચ કોડ મુનિના પરિવાર સહિત શ્રી પુંડરીકસ્વામી મહારાજ અત્રેજ કેવળજ્ઞાન પામી ચૈત્રી પૂર્ણિમાએ શાશ્વત સુખને-સિદ્ધિપદને પામ્યા છે. ભગવાન્ શ્રી ઝાષભદેવજીની આજ્ઞાથી જ શ્રી પુંડરીકસ્વામીજીએ અત્રે સ્થિરતા કરી હતી. અત્રે એક નાના નાજુક (દહેરી જેવા) દહેરામાં શ્રી પુંડરીક ગણધર દેવને સ્થાપવામાં આવ્યા છે. આ દેરાસર તથા ભોંયરાની જમણું તથા ડાબી તરફ મળી દહેરીઓ ૩૯ છે, તેમાં ૩૩ માં હાલ પ્રતિમાજી પધરાવેલા છે. તે દહેરીઓમાં પ્રતિમાજી ૧૩૧ પાષાણની ધાતુની એકલવી પ્રતિમા ૩.
આ ફક્ત બે દહેરાની ટુંક નવી દશમી ટુંક તરીકે ગણાઈ ચૂકી છે. તેમાં ઉપર નીચે એમ બે ગાળે ભમતી આવેલી છે. તેની કુલ દહેરીઓ ૭૦ છે. તે સેની એકંદર પ્રતિમાઓ ૭૦૦ છે ને પગલાં જોડી ૨ છે–પચીસ વર્ષ અગાઉ આ ટુંક ફક્ત એક દહેરા તરીકે જાણવામાં આવતી હતી, પણ મુનિમ વલ્લભજી વતા આવ્યા બાદ તેમણે ધીમે ધીમે ભમતી પૂર્ણ કરી. સામે શ્રી પુંડરીકજીનું દહેરું સ્થાપી એક નાજુક ડેલી, પિળ વગેરે બનાવવાથી તે હવે દશમી ટુંક તરીકે ઓળખાય છે.
આ ટુંકને ખર્ચ તથા વહીવટ ધણી પતે ચલાવે છે.
૩૬. વાઘણપોળની અંદર જમણી તરફ પહેલું દહેરૂ રાધનપુરવાલા મસાલીઆ કલ્યાણજી જેવંતે બંધાવેલું છે. તેમાં મૂલનાયકજી શ્રી પદ્મપ્રભુજી ભગવાન છે. પાષાણની પ્રતિમાજી ૧૦ તથા ધાતુની પ્રતિમાજી ૧ છે.
૩૭. ઉપરના દેરાસરની પાછળ તથા શ્રી શાંતિનાથજીના દહેરાની સામે ઊંચા પરસાળ ઉપર શ્રી મહાવીરસ્વામીજીનું, સમવસરણ ત્રણની રચનાવાળું દહેરૂં સુરતવાળા સોમચંદ કલ્યાણચંદે સંવત ૧૭૮૮ બંધાવેલું છે. પ્રતિમાજી ચાર છે.
વિમળવશી ૩૮. પાછળ કપર્દી જક્ષની દહેરી ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com