________________
પણ યથાસ્થાને દર્શન દે જ છે, તે સુજ્ઞ વાંચક સ્વયં જોઇ શકશે.
છેવટ ગુજરાતી ભાષાના અવતાર ક્યાંથી થયેા છે એની સવિસ્તર ચર્ચા ઉપાડી વિદ્વાન લેખકે ખતાવી આપ્યું છે કે ગૂજરાતીના જન્મ અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી થયો છે; પણ તે જૈનાની સૂત્ર પ્રકરણની પ્રાકૃત ભાષા અપભ્રષ્ટ થઇને તેમાંથી નહિ; પણ દેશની પ્રચલિત સામાજિક પ્રાકૃત અપભ્રષ્ટ થઈ તેમાંથી, કેમકે સામાજિક પ્રાકૃત એકલા જૈનેાની સ્વાંગ માલિકીની ન હતી.’ આના સમર્થનમાં શૌરસેની અને અપભ્રંશ પ્રાકૃતના ઉદાહરણ આપી સ્પષ્ટ સમજાવ્યા છે. અને સાથે સાથે-પ્રાકૃતનું મહત્વ જૈનેામાં જ હતુ, જૈનેતર અન્ય પ્રાકૃતને હલકી ગણી હલકાં પાત્રાને જ સાંપતા,—જેમ–જૈન ઔદ્ધ સિવાયનાં બીજા' નાટકામાં હલકાં પાત્રોમાં દેખાય છે;’--આ દલીલ કેટલી ભ્રાંત છે, તે પણ અપ્રતિવિધેય ચુક્તિથી દર્શાવી આપ્યું છે. છેવટે ગૂજરાતી ભાષા શામાંથી અવતરી હશે ? એને નિ ય કરતાં જણાવ્યું છે કે ‘સામાજિક અપભ્રષ્ટ પ્રાકૃત ભાષામાં જના બ્રાહ્મણા બધાના હિસ્સા હતા, અને એમાંથી ગુજરાતી અવતરવા પામી છે.’
ગૂજરાતી કેને અને ક્યારથી ગણવી એ આ પ્રકરણના છેલ્લા પ્રશ્નની સૂક્ષ્મ છણાવટ કરતાં સદ્. વિદ્વાન સાક્ષરશ્રી પ્રકાશે છે--· હાલ આપણે જેને ગૂજરાતીરૂપે ઓળખિયે યેિ, તે ગૂજરાતીને મળતી પ્રાચીનમાં પ્રાચીન જે ગૂજરાતી જણાય અને જે મધ્યમ વર્ગના વિદ્વાનને તરત સમજવામાં આવી શકે, એને ગણવી.' આ ઉક્તના સમનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com