________________
હેમાચાર્ય પહેલાંનાં સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણે ૧૦૭
ભાષા વ્યાકરણાદિ જાણનાર વિદ્વાનની વિશેષ (Special) હતી, અને પ્રાકૃત જનસમૂહની સામા
ન્ય (general) હતી; વિદ્વાનોને બંને ભાષા ગ્રાહા
હતી; સામાન્ય જનસમૂહને પ્રાકૃત જ ગ્રાહ્ય હતી. હેમાચાર્ય પહેલાંનાં સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણે. () અને એમ હોવું જ જોઈએ. અમે અગાઉ જણાવી
ગયા છીયે કે દરેક ભાષા તેનાં ચાર સ્વરૂપની અનુસંધિપૂર્વક રહે છે. (૧) ભાષાનું પ્રાકૃત સ્વરૂપ (૨) તેનું સંસ્કૃત સ્વરૂ૫ (૩) તેનું સમસંસ્કૃત સ્વરૂપ () તેનું અપભ્રંશીય (Latent or manifest) સ્વરૂપ. આપણે હાલ વ્યાકરણવિશિષ્ટ (grammatical) અંગ્રેજી ભણ્યા હોવાથી આપણે એ સંસ્કારી ભાષામાં બેલિયે-લખિયે; પણ ધારે કે આપણે વિલાયત જઈએ, તે ત્યાંના સામાન્ય જનસમૂહ પાસેથી એ (grammatical) વ્યાકરણવિશિષ્ટ ભાષા સાંભળવાની આશા રાખશું? નહિ. કેટલાંક ઈંગ્રેજ સ્ત્રી પુરુષે બાળકે ઈંગ્રેજીનાં પ્રાકૃત સ્વરૂપમાં એવી ગુણ ગુણ વાત કરતાં હોય છે, આપણે અંગ્રેજીના (Grammar ) વ્યાકરણના ગમે તેવાં “ખાંઈયે, પણ આપણને થડે વખત એ પ્રાકૃત સ્વરૂપને પરિચય થતાં સુધી તે મુંઝાઈ રહેવું પડે જ. આ કહેવાનું કે નાટકમાં પ્રાકૃત ભાષા આણી છે તે નટ,
વિટ, આદિ સામાન્ય જનની સહજ ભાષા હેઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com