________________
જૈન મંત્રીએ આદિએ જ્ઞાનાદિ ક્ષેત્રને આપેલો આધાર ૯૭
(૨) પુસ્તક લખાવી તેના ભંડારે કરાવવા. ગૃહસ્થ વર્ગ આ રીતિને અનુસર્યો છે, એટલું જ નહિ પણ સાધુવેગે પણ યથાયેગ્ય હિત જોઈ આ માર્ગ ગ્રહણ કર્યો છે. વિમલ મંત્રી, વાગભટ મંત્રી, વસ્તુપાળતેજપાળ, ઉદયનમંત્રી, આમ્રભટ, સંગ્રામસિંહ શેની, માનસિંહ ભેજરાજ અને જગડુશાહ શેઠ આદિ ગૃહસ્થા અને શ્રી હેમચંદ્રસૂરિ, દેવચંદ્રસૂરિ, હારવિજયસૂરિ, વિજયતિલકસૂરિ, પદ્મસુંદરસૂરિ આદિ આચાર્યોનાં ચરિત્રોથી આ પ્રતીત થાય છે. વિક્રમના વખતમાં શ્રી સિદ્ધસૂરિ, શિલાદિત્યના વખતમાં શ્રી મલ્યવાદી તથા ધનેશ્વરસૂરિ, વનરાજના વખતમાં શ્રી શિલગુણસૂરિ, તે જ અરસામાં શ્રી વાલીયર (ગોપગિરિ) ના રાજા આમના વખતમાં શ્રી બપ્પભટ્ટી સૂરિ, શ્રી સિદ્ધરાજકુમારપાળના વખતમાં શ્રી હેમચંદ્રસૂરિ-દેવચંદ્રસૂરિ, તે જ અરસામાં મેદપાટના રાજા આલ્હણદેવના વખતમાં શ્રી રામચંદ્રગણી, ફિરોઝશાહ તઘલખના વખતમાં શ્રી પદ્મસુંદરસૂરિ, અકબરના વખતમાં શ્રી હીરવિજયસૂરિ, જહાંગીરના વખતમાં શ્રી વિજયતિલકસૂરિ એ આદિ આચાર્યો તથા શ્રી કુમારપાળના વખતમાં ઉદયન, વાગભટ, આમભટ આદિ મંત્રીઓ, તથા વીરધવળના વખતમાં વસ્તુપાળ-તેજપાળ તથા જગડુશેઠ, મંડપદુર્ગના હાકેમ મુજફરખાંના વખતમાં (પંદરમે સિકો વિ. સં.) સમરસિંહ સોની, તેમજ તે જ સૈકામાં ખંભાતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com