SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જેના પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને બે આરોપ પ્રાકૃત ઘસાતી નથી ચાલી; પણ જુદા જુદા લેખકેએ એને સમ્યક પ્રકારે પિષીને અદ્યાપિ પર્યત તે અવિચ્છિન્ન આણી છે. ભાવિકાળે જે બને તે ખરું ! વનરાજને સમય; જેને પર વિદ્યાજ્ઞાનની ઉપેક્ષાને આપ (૩) ચર્ચાસંપન્ન પ્રશ્ન માટે આગળ કરવામાં આવેલી બે દલીલે આપણે જોઈ હવે ત્રીજી જોઈએ. આ ત્રીજી દલીલ એવા આશયની છે, કે શ્રી સિદ્ધસૂરિના વખતથી જૈનોમાં પ્રાકૃત સાથે સંસ્કૃત પણ સામેલ થવાથી પ્રાકૃતને સ્વાભાવિક રીતે હાનિ આવી અને એ હાનિ વધતાં વધતાં વનરાજ ચાવડાના વખતમાં જેને રાજકારભાર-વ્યાપારાદિમાં ગુંથાતાં તેઓએ વિદ્યા-જ્ઞાનની ઉપેક્ષા કરી; જેથી જનની પ્રાકૃત અપભ્રષ્ટ થતી ચાલી, તે ઠેઠ એટલે સુધી કે તેમાંથી ગુજરાતી થઈ. ચર્ચાના ઉત્પાદકનાં આ બધાં અનુમાને છે, એમ ચર્ચાકાર સ્પષ્ટ જણાવે છે, અને એ અનુમાનેને નિર્ણયાત્મક ગણી તે પર ભાર ન મુકવાનું પણ સૂચવે છે. તથાપિ કહેવાનું કે જેને ઉંડા ઉતરી વિચાર કરવાનાં શક્તિઅવકાશ નથી એઓને આડે રસ્તે, એક તરફ દોરવનારાં આવાં આધાર વિનાનાં કૃત્રિમ અનુમાને કરવાનું પ્રજન શું? એ અનુમાને આધાર વિનાનાં કૃત્રિમ છે કે નહિ એ તપાસિયે – () વનરાજ ચાવડાના વખતમાં જનેને રાજકારભાર મળે, એના સંગીન પુરાવા ક્યાં છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy