________________
–
સ્મૃતિ સતેજ હોવાનાં કારણે નંદિસૂત્રમાં નેંધ ૮૭
આરંભ કરા-કરાવવું પડે, જે તેઓ પિતાના કલ્પ (આચાર) પ્રમાણે ન કરી શકયા. આ અરસા સુધીના જૈન પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથે થોડા મળતા હોય તેમાં આ
પણ એક કારણ છે ગ્રંથ રચાયા છતાં લખાયા ન હોય. સ્મૃતિ સતેજ હેવાના કારણે
બધું સ્મૃતિગોચર રાખી ગુરુ શિષ્યને આપે એમ પરંપરાપૂર્વક ચાલતું. આવી સતેજ સ્મૃતિને હાલ ખ્યાલ પણ કદાચ ન આવે; પણ Science of Psychology (માનસશાસ્ત્ર)ના અભ્યાસીઓને આ સહજ પ્રતીત થાય એમ છે. મન-વચન-કાયાના
વ્યભિચાર દેષથી પ્રાયઃ દૂષિત, શુદ્ધ બ્રહ્મચર્ય (મનવચન-કાયા ત્રણેનું)થી પ્રાયઃ વિમુખ, અને એવાં વિશુદ્ધ બ્રહ્મચર્યના અભાવે કુંઠિત મન-મગજ-શરીરવાળા આ કાળના પામર જી,-એને આ વાત કદાચ કલ્પનાગોચર પણ ન થાય, અથવા એઓ આ વાતને વહેમ કે અતિશક્તિ અથવા “જુનું એટલું સેનું” એવી ગણત્રી ગણનારારૂપે, અથવા આર્ય દેશના મોહરૂપે કદાચ ગણી કાઢે? પણ નહિ, આર્ય દેશે બુદ્ધિપ્રભા, સ્મૃતિપ્રાબલ્ય, શુદ્ધબ્રહ્મચર્ય, વિદ્યા જ્ઞાનશક્તિ એ અંગે પ્રભાવશાલી, પ્રતિભાશાળી પુરુષને જન્મ આપે છે; ઈતિહાસ એની ખાત્રી આપે છે, વિ. સં. છઠ્ઠાથી બારમા તેરમા સૈકામાં થયેલા સાધુઓની લાખ શ્લોકેએ અંકાતી કૃતિઓ આપણને વિશ્વાસ અણાવે એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com