SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય વિ. સં. છઠ્ઠો સકે-જેને સૂત્રો લખાયાં. તે પહેલાં કેમ ન લખાયાં? : માથુરી વાચના, આરંભદેષને ભય (૬) હવે આપણે વિસં. છઠ્ઠા સૈકામાં આવિયે. આ સૈકાએ પ્રાકૃત ગ્રંથને ઘણું પિષણ આપ્યું છે. આ એક બાબત ખસુસ ધ્યાનમાં રાખવા જેવી છે, કે જૈન આગમ સૂત્રે અત્યાર સુધી કંઠા રાખવામાં આવ્યાં હતાં; ધવલપત્ર ઉપર આલેખાયાં ન હતાં. ગુરુપર્વપરંપરાએ એ સૂત્રાદિ કંઠે ચાલ્યાં આવતાં. દિગંબર આમ્નાયમાં લખવાને પ્રચાર હતે; તાંબરનાં અન્ય પ્રકરણે પ્રાયઃ લખાતાં પણ તેઓનાં અંગેપાંગાદિ હજુ સુધી લખાયાં ન હતાં; આથી શ્વેતાંબર-દિગંબરે બંનેને બહુ શેષવું પડયું છે. શ્રી ભદ્રબાહુ સ્વામીના વારામાં ભયંકર દુકાળ પડેલ, તેથી તેમજ ત્યાર પછી બીજા સિકામાં પણ દુકાળ પડેલ તેથી સૂત્રે નાશ પામે એવી સ્થિતિમાં હતાં. એથી શ્રી સ્કંદિલાચાર્ય આદિએ મથુરામાં મળી રહેલાં સૂત્રને યથાયોગ્ય બાંધે કરી તેને જાળવ્યાં; આ માથરી વાચના કહેવાય છે. ત્યાર પછી શ્રી વજીસ્વામીના વખતમાં (વિ. સં. પ્રારંભ પછી) પણ દુભિક્ષ ભય નડેલ; કાળ ઉગ્ર સ્વરૂપે પ્રકાશિતે હતે સ્મૃતિભ્રંશ થતે જાતે હતે; છતાં આરંભ દેષથી ડરીને (જૈન સાધુઓને આરંભ પિતા કે પારકા માટે સર્વથા નિષિદ્ધ છે) લખવાનું કે લખાવવાનું કરી ન શક્યા. લખવા-લખા વવા માટે સામગ્રીઓ મેળવતાં–મેળવાવતાં નિઃસંશય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034874
Book TitleJain Sahitya
Original Sutra AuthorN/A
AuthorMansukhbhai Kiratchand Mehta
PublisherVallabhsuri Smaraknidhi
Publication Year1959
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy