________________
દોઢેક કલાકમાં અજન્તા પહોંચાડી દે છે. ને ત્યાં બધી જાતની સગવડ છે. એટલે હવે કોઈ પણ શિક્ષિત હોવાનો દ કરનાર હિંદીએ આ સ્થાને ન જોયાં હોય તો એ એના શિક્ષણની ત્રુટિ જ કહેવાય. આ બન્ને સ્થળે એવાં છે કે એના વિષે પુરત ને ચિત્રો જેવાથી યથાર્થ ખ્યાલ આવી શકે એમ છે જ નહિ. ભારતીય કળા અહીં સજીવ ને મૂર્તિમંત છે. સાંપ્રદાયિક પરંપરા દ્વારા એ ઉદ્ભવે છે પરંતુ સાંપ્રદાયિક સંકુચિતતાથી એ પર છે. એ ગુફામંદિરમાં દેવી વ્યક્તિઓની આસપાસ ફરતાં ગંધર્વ ને વિદ્યાધરની પેઠે અજન્તા ને છલુરાની કળા સૌંદર્યાકાશમાં અદ્દભુત સ્વછંદ ને સંયમથી વિહરે છે. દેવદેવીઓ ઘડવાનું સામર્થ્ય જોવું હોય તો આ કલાકારોનું મૂર્તિવિધાન જુઓ. ક્યાંય પણ શિથિલતા કે કુરુચિ નજર નહિ પડે. અહંતની અભેદ શાંતિ, નટરાજની અજેય શકિત, નરસિંહ ની ભયંકર ગર્જના, દેવદેવીઓની પ્રેમલીલા, કિન્નર ગંધના મીઠાંગાન, મહિષાસુરમર્દિનીની તેજસ્વી મુદ્રા આ સહુ આ કળાકારેને સુગમ્ય ને સ્વાભાવિક હતું. એમની કારીગરી, એમની પ્રબળ કલ્પના ને સર્જનશકિતને અનુકુળ જ હતી. સમર્થ કલાકારોને પ્રતાપી દાનવીરો પણ મળ્યા. ધન, કળા ને ધર્મને આવો અનુપમ સંગમ દુનિયામાં બીજે કયાં મળશે ?
ભાઈ ધીરજલાલે ઇલુરાની ગુફા મંદિરની પુણ્યયાત્રા આ નાના પુસ્તકમાં વર્ણવીને ગુજરાતી પ્રજાને ઉપકાર કર્યો છે. ઈલુરા વિષે ઇગ્રેજીમાં અનેક સુંદર પુસ્તક લખાયાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com