SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) નિત કરી શકાય છે. ખાસ કરીને એટલે તે સ્વીકાર જરૂર કરવું જ જોઈએ કે જે પુરૂષનાં ચરિત્રે પ્રાચીન કે અર્વાચીન પ્રબંધમાં મળી આવે છે તે સર્વ ઐતિહાસિક પુરૂષે છે. કદાચ કેઈ ચરિત્રનાયકને તે થયેલ હોય તે કરતાં ઘણા પૂર્વના સમયમાં અથવા પછવાડેના સમયમાં મૂકવામાં આવેલ હોય અથવા તે તેના સંબંધમાં પરસ્પર ઘણું વિરૂદ્ધ જતી હકીકત કહેવામાં આવી હોય, છતાં એક પણ એ દાખલો નથી કે જેના સંબંધમાં એમ ખાત્રીપૂર્વક કહી શકાય એવી વ્યક્તિ, કઈ થઈ જ નહોતી અને તે માત્ર ગ્રંથકતની ભવ્ય કલ્પનામાંથી જ ઉપજાવી કાઢેલ બનાવટી પાત્ર છે. એને બદલે જ્યારે જ્યારે કેઈ નવા શિલાલેખ મળી આવે છે, પ્રાચીન પ્રતિઓના ભંડારોની શોધખેળ થાય છે અને જ્યારે જ્યારે ખરા એતિહાસિક પ્રાચીન ગ્રંથની પ્રાપ્તિ થાય છે ત્યારે આવા પ્રબંધમાં આળેખાયલા ચરિત્રનાયકની હસ્તી માટે વધારે પૂરાવા મળે છે. જે તારિખે તેઓ સ્પષ્ટપણે ચોકકસ આપે છે તેના સંબંધમાં આપણે પરિપૂર્ણ ધ્યાન આપવું ઘટે છે. આવી જાતની બીજી કૃતિઓ જે સ્વતંત્ર કૃતિ તરીકે હોય છે તેમાં પણ જ્યારે તારિખ કે વર્ષ આવે ત્યારે વગરશંકાએ આપણે તેને ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવું જોઈએ. આ બાબત બીજી પ્રાપ્ત થતી હકીકતોને પણ લાગુ પડે છે. હવે પછી જે હકીકત આપવામાં આવી છે તે પરથી જણાશે કે હેમચંદ્રના સંબંધમાં જે માહીતી પ્રભાવક ચરિત્ર” અને “પ્રબંધચિંતામણિ” માં આપવામાં આવી છે તે પૈકી જે હકીકતે તેમાં અંતર્ગત થયેલી બાબતેને કારણે શંકા ઉત્પન્ન કરે તેવી નથી તે સર્વ તદ્દન સાચી છે. એકંદરે એટલું તે કબૂલ કરવું પડે તેમ છે કે ખૂદ “પ્રભાવચરિત્ર” માં પણ હેમચંદ્ર લગભગ અર્ધ દૈવી વ્યકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com પછી જે હકી; પ્રભાવકચરિક જણાશે કે
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy