SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવત સંગ્રહ ૨૮૧ વાવ્યું તે ઊગે નહી, નીર કુવે નવ થાય; નવ જાણ્યું તે જોશીઆ, જેશ કેમ જોવાય? શ્રાવણ ઘડી, ભાદુ ગાય, મહા મહિને ભેંસી વિયાય, તે ધણુ મરે કે જણનારી જાય. ચોથ ચૌદશને ચપાયો, હાણ કરે પુનમનો જા. જે હેય રાહુ દશમ, શું કરે વેરી વસમો? બુધ વાસે ને બુધ ચાસે, બુધ ગામ ન જાશે. બુધે વળાવી બેટી, તે ફરી કદી ન ભેટી. ૭૪૦. આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણું. ૧૭ આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી. બારે માસ ભોગવે એ બેય, બીજે ઘેર આવી ગઈ રેહેય. માને તેને વિધિનિષેધ. ગ્રહણમાં રોટલા ઘેંસ અભડાય, પકવાન અભડાય નહીં. તળ્યું ને તાવ્યું, વૈકુંઠથી આવ્યું. જગન્નાથજીનો પ્રસાદ લેતાં આભડછેટ નહીં. ' ઔષધાર્થ મદિરા પીવામાં બાધ નહીં. પગ મટાડવા, માંસાદિકના એસિડનો છોછ નહીં.' વૈષ્ણવ જાણે સમર્પણ, બ્રાહ્મણ દેખી ભડકે; છોકરાને બાંધે ટાંટીએ, રખે મુ અડકે. વદાયું વદે, ને અણવદાથું ફોક; ચામડાના જોડા ને ચામડાની બેખ. બ્રાહ્મણની નાત જમે ત્યારે ચામડાથી અભડાય, ઘીના કુલાની આભડછેટ નહીં. ઘી ભેગીઆની તાવણનું સૌને ખપે. દેવમંદિર બીજું ચામડું ન લઈ જવાય, દુકડ સારંગીને બાધ નહીં. ૧ એ ગમાં કુવો ગાળવા માંડ્યો હોય તે. ૨ ઢેર વિયાય તેનાં મુહર્ત, ૩ ચોથ યૌદશે ખાટલે ભર્યો હોય, ને પુનમને રાજ દીકરો અવતર્યો હોય તે હાનિ કરે. જ્યોતિષનો વિષય એ અગાધ છે કે તેને કઈ ભાગ આંહી લખવાને સમાસ નથી, માટે લોકોમાં ચાલતી કહેવતો જાણું તેટલી લખી છે. ૪ સાંઢાના તેલ, કસ્તુરી, અંબર, ગેચંદન આદિને બાધ ગણુતિ નથી, ૫ ધીને વિષ્ણુદેવત ઠરાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy