SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કહેવત સંગ્રહ ભલે બીબી માર ભુસકે, બજાવ સિક્કો, બનતાં બને ખરી. યાહેમ કરીને ચલે, ફતેહ છે આગે. I will either make a bolt or a shaft of it. ૩૦૮. કાગનો વાઘ કર. ૭. કાગનો વાઘ કરે. પિંછને કાગ કરે. ' રજનું ગજ કરવું. રામમાંથી રામ કહાણી કરવી. કર. ચોરે આ વાત સાંભળી, છાપરા સુધી એક થાંભલો હતો તેને વળગી રહી છે. સ્ત્રીએ ઘીને દી કર્યો ને ઉંચું જોઈ ચારને દેખી શેઠ પિતાની સ્ત્રીને કહે છે, જે છાપરું ફાયું છે ને પેલો દીકરે, જો કે માને છે ? ઉછરેલ, પારેલ, રાયો રૂતે, શિળી નહીં, એરી નહીં, અછબડા નહીં, વાવળી નહીં, વરાદ નહીં ને આપણું ઘર ભરાઈ રહે તે છે, જે. ચોર તે સાંભળી ખુશી થઈ હેઠળ ઉતર્યો. શેઠે આવકાર દેઈ તેને બેસાડ્યો, ને સ્ત્રીને કહે છે કે, ઊનું પાણી કર, પછી લાપસી રાંધ.” એમ કરીને શેઠે પોતે પટારે ઊઘાડ્યો, માંહીથી હીરકેરી ધૂતીઆ, કસબી પાઘડી, ઊતરી, કંદરા, વેહે, વિંટી બધું કહાડ્યું. ચોરને ખાતરી થઈ કે, હવે હું તે વાણિયાને દીકરે થય” પાણુ ઊનું કરી નવરાત્રે; કંસાર, દાળ વગેરે જમાવ્યો, પછી સારાં લૂગડાં પહેરાવ્યાં, કંકુને ચાંલ્લો કર્યો. ત્યાં તે સવાર થઈ એટલે શેઠે ચેરને કહ્યું, “ચાલો, દીકરા દુકાને.” બન્ને જણ ચાલ્યા. રસ્તામાં કેટલાકે વાણિયાને પૂછયું, “આ કેણુ છે?શેઠ જવાબ દેતા જાય છે, મારે દીકરે, તમારે તે કાંઈ છોકરાં નથી ને આ ક્યાંથી ? ત્યારે શેઠ કહે, “પરમેશ્વરે આપ્યો, આકાશમાંથી ઉતયોં, રાતે આવ્યો.” એમ જવાબ આપતા આપતા તે દુકાને આવ્યા. દીકરાને શણગારીને દુકાને બેસાડયો છે, જે પૂછતા જાય તેને શેઠ ઉપર પ્રમાણે જવાબ આપતા જાય. પણ શેઠે ગુપ્ત રીતે દરબારમાં ખબર મેક્લાવેલ કે, મેં ચોર પકડ્યો છે. તેથી પોલીસના જમાદાર આવ્યા અને પૂછયું, “શેઠ, આ કેણ છે?” “એ તો મારે દીકરે છે.” “કયાંથી આવ્યો?” “આકાશમાંથી’ પરમેશ્વરે આપે? એટલે જમાદારે લાકડીને એક ગેદ શેઠને માર્યો. શેઠ કહે છે, “ભાઈસાબ, દીકરે છે. તેમાં ગેદા શું મારે છે?” એટલે જમાદારે હુકમ કર્યો કે, ચાલો તમે બને દરબારમાં.” એટલે શેઠ તથા ચાર દીકરે બન્ને દરબારમાં ગયા. દરબારમાં ફજદારે પૂછપરછ કરી ત્યારે શેઠે કહ્યું, “દીકરે આકાશમાંથી ઉતર્યો, છાપરું ફાટયું, ને ઘરમાં આવ્યો. પરમેશ્વરે રૂડાં વાનાં કર્યાં, શાબ, શાબ” ફેજદારે શેઠને મારવા લીધે ત્યારે શેઠ કહે છે, “શું કામ મારે છે, શાબ? તમારી નજરમાં આવે તેમ કરે.” આગળના વખતમાં ચેરને માટે સજા શૂળીની હતી તેમ સૂળીની સજા દીકરાને ફેજદારે ફરમાવી એટલે શેઠે તેનું પ્રથમનું ધેતિયું લુગડાં આપ્યાં, ને ખેાળો પાથરી કહે છે, “દીકરા ઘરેણું ગાંઠું લુગડાં લાવે, ને બેટા પરમેશ્વરનું નામ લેઈ શળ ઉપર ચડવા જાઓ.” કહી શેઠ પોતાને માલ લઈ ઘેર ગયા ને ચેરને શૂળીએ ચડાવ્યા. ૧ અતિશયોક્તિ કરી વાત કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy