SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવત સંગ્રહ કામ તેવી ઠીકરી, મા તેવી દીકરી. ખેતર તેવા વેતર.. ઝાડ તેવાં ફળ. ગાંડાનું ગેતર ગાંડ. વીસ વરસ મોસાળ. બાજુપર એક ડહેલા જેવું બારણું આવ્યું તેમાં પેઠી ને આગળ ચાલતાં એક ચોક જેવું મેદાન આવ્યું. ત્યાં એક કસાઈ ગાયને યપર નાંખી હાથમાં મેટે છેરે લેઈ હલાલ કરવા જતો હતા તે આ બાઈઓએ જોયું. તેઓ પાસે ગઈ ને કસાઈને કહ્યું કે, “હું આ ગાયને મારે નહીં તે તું કહે તેટલા પૈસા આપીએ. અમારા અંગ ઉપર જેવર છે તે આપીએ. પણ તું ગાયને છોડી દે.” કસાઈએ ગાયને છોડી દેવાને ના કહી. ત્યારે આ ચારે બાઈઓ દિલગીર થઈ, ને ફરી કસાઈને પૂછ્યું કે કઈ ઊપાયે તું છોડી દેઈશ? કસાઈએ કામાંધ થઈ કહ્યું કે, “તમારા ચારમાંથી એક મારી પાસે આવે તે મૂકી દઉં.” આ બાઈએ વિચાર કરવા લાગી કે ગાયને મુકાવવા શિચળવ્રતના ભંગનું પાપ હોરવું કે શી રીતે? આખર ગાય મુકાવવામાં મહા પુણ્ય છે, એ વિચાર પ્રબળ થતાં એક જણ કસાઈ પાસે જાય એમ નક્કી કર્યું. ચારે જણઓ એક બીજીને તું જ, તું જા, એમ કહેવા લાગી, એટલે કસાઈએ કહ્યું, “તમે રકઝક શા સારૂ કરે છે, હું જેને હાથ પકડું તે આવે.”એટલે રઝક બંધ થઈને કસાઈએ એક જણને હાથ પકડ્યો. તે બાઇએ કસાઈને કહ્યું, “આ જા હું આવું છું” કસાઈ આ ગયે એટલે જે બાઈને જવાનું છે તે દેરાણી હતી, તે જેઠાણુને કહે છે કે, “હું રતમાં આવી હતી, આજ જ નાહી છું. માટે મારા જવાથી જે ગર્ભ રહેશે તે મહા ઉત્પાત થશે; માટે મારે જવાનું બંધ રહે તે સારું.” દેરાણુને જેઠાણુએ કહ્યું, “અમે શું કરીએ તારે હાથ ઝાલ્યો માટે તું ન જાય તો કસાઈ ગાયને મારશે. તે પાપ તારે શિર લાગશે.” એથી આ બાઈ લાચાર થઈ પિતાના શિયળવ્રતના ભંગનું મહા પાપ હેરી ઘણાજ ખિન્ન મનથી ગાય બચાવવાનું પુણ્ય લેવાની ઈચ્છાથી કસાઈ પાસે ગઈ. કસાઈએ ગાયને છોડી દીધી, પણ કસાઈ પાસે જવાથી બાઈને ગર્ભ રહ્યો. પુરે માસે પુત્રપ્રસવ થયો. શુક્લ પક્ષને ચન્દ્ર વધે તેમ તે વધવા લાગે. “પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય.” તે બે વરસને થયો અને માટીધૂળનાં બકરાં, બળદ, ઘડા બનાવે, તેને કાપે, પછાડે, મારે વગેરે બાળચરિત્રથી તે શાહુકાર એટલે છોકરાના દાદાને ઘણી ચિન્તા થવા લાગી. નિશાળે જવાથી ભણે ગણે તે સુધરે એવી આશાથી તેને નિશાળે બેસાડ્યો, પણ ભણવા કરતાં તેફાન બહુ કરે. મેહેતાજીને મારવા દેડે. એમ કરતાં પંદર વરસ થયો. એટલે ઢાલ, તલવાર, કડાબીન, બરછી બાંધતાં શીખે. કુચાલ કે કુરસ્તે જતાં રેકાય તેવા હેતુથી પરણાવ્યું. પણ શેઠે રાખેલી સુધારવાની બધી આશા વ્યર્થ ગઈ તે ગઈ પણ એક ગણિકા રાખી અને પૈસે જોઈએ ત્યારે દુકાનપર આવીને જબરદસ્તીથી પૈસો લેઈ જાય. શેઠે પૈસા આપવાની મુનીમને મના કરી. એટલે ભાઈ મેમચન્ટ બરછી, તલવાર લઈ દુકાને આવે, મુનીમને ડર બતાવી મનમાનતા પૈસા લેઈ જાય ને મેજમજ ઉડાવે. શેઠે આ ઘાટ જે વિચાર્યું કે, આવી રીતે મેકમચંદ પૈસા લઈ જાય તે દીવાળાનું A Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy