SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન સમયને વ્યવહાર [ ૧૬૩ નો કર્તા લખે છે કે ઈ. સ. ૧૮૫૦ પહેલાં રસ્તા નહીં જેવા હતા, માસામાં પુષ્કળ મુશ્કેલી પડતી હતી. ચોમાસાના અને રેલના વખત સિવાય બાકીના દિવસમાં પહોળાં પૈડાંના ગાડા મારફતે કે વણઝારાની પિઠે ઉપર કે મારવાડનાં ઊંટ ઉપર વ્યવહાર ચાલતા હત.૨ સુરત ગેઝેટીયરનો કર્તા પણ લખે છે કે “ઈ. સ. ૧૮૬૩ પહેલાં રસ્તાને સુધારવા માટે કંઈ જ થયેલું ન હતું. આખા જીલ્લામાં ફક્ત ૧૯ માઈલ લંબાઈના પાંચ નામના રસ્તા આવેલા હતા. ઈ. સ. ૧૮૭૬ માં ૩૧૫ માઈલની લંબાઈના ૬૪ રસ્તા હતા. તાપી નદી ઉપરને પૂલ પણ તે વખતે પૂરે હ. દરિયામાગે વ્યવહાર રાનાં વહાણમાં થ, પણ મુંબઈ બંદર થવાથી ૧૭મી સદીમાં જે વ્યાપાર મોટા પ્રમાણમાં થતો તે હવે બંધ થઈ ગયા. ભરૂચમાં ઈ. સ. ૧૮૬૩ સુધી રરતાઓ સારી હાલતમાં ન હતા. રેલ્વે થયા પહેલાં ભરૂચ અને ટંકારી સારી સ્થિતિમાં હતાં. જૂદી જૂદી જાતનાં વહાણે જેવાં કે મછવા, પડાવ, બટેલ, દવ, ડાંગી, કોટીયું, પાટીમાર વગેરે ત્યાં જોવામાં આવતાં. ઈ. સ. ૧૮૨૦ માં દેહગામ, ટંકારી, દેજ, ભરૂચ અને ગંધાર બંદરે વ્યાપાર ચાલતો હતો. ઈ. સ. ૧૮૪૯ સુધી માળવાથી અફીણ કારી બંદરે આવતું, પણ ઇ. સ. ૧૮૬૧ માં રેલવે આવ્યા પછી બંદરને જે તે વ્યવહાર પણ પડી ભાગ્યો. ઇ. સ. ૧૮૬૮ માં ભરૂચ અને ઘોઘાની વચ્ચે આગબોટથી વ્યવહાર કરવા પ્રયત્ન પણ નિષ્ફળ ગયો.' ઇ. સ. ૧૮૪૪ સુધી ખેડામાં શહેરથી શેઢી નદીના લાકડાના પૂલ સિવાય કિઈ સારે બાંધેલો રસ્તો ન હતો. ઇ. સ. ૧૮૭૮ માં સે માઈલ લંબાઈના ૬ રસ્તા બંધાવેલા હતા. ઇ. સ. ૧૮૬૭ સુધી પંચમહાલ 2. Ahmedabad Gazetteer, (1879); p. &1. 1. Surat Gaz (1877), pp. 129–160; 2. Broach Gaze 1871); 418–48. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy