SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું અર્વાચીન સમયને વ્યવહાર અગ્રેજી રાજ્યની શરૂઆતમાં વ્યવહારની સ્થિતિ ગુજરાતમાં રેવે આવી ત્યાં સુધી જમીનમાર્ગે વ્યવહાર સારી હાલતમાં ન હતું. કાચી સડકો ઉપર વણઝારાઓ ઊંટ કે પિડીયા ઉપર માલ લાદીને એક જગ્યાએથી બીજે લઈ જતા. રસ્તામાં ચારલૂંટારાને ભય પુષ્કળ હોવાથી તેઓને હથિયારે અને સૈનિકે રાખવા પડતાં. તેમાં કેટલીક વખત લાંબી મુસાફરીમાં પોઠીયા મરી જવાથી માલને પણ બગાડ થતે. ચોમાસામાં જમીનમાર્ગ લગભગ બંધ રહે, કારણ કે નદી ઉપર પૂલનાં સાધન ન હોવાથી નદીને ઓળંગવી મુશ્કેલી પડતી, તેમ જ રસ્તામાં માલને સંભાળી શકાતે નહીં. સને ૧૮૫૦ ને જાન્યુઆરીમાં લહૌસી ગવર્નર જનરલ મુંબઈ આવ્યો ત્યારે દેશી અને પરદેશી વ્યાપારીઓએ માનપત્ર આપેલું અને તેમાં નીચે પ્રમાણે ઉગારો કાઢેલાઃ માહેલા દેશ સાથે વ્યવહાર ચલાવવાની રીતિ એવી દુઃખ ઉપજાવનારી છે કે વારે ઘડીએ ઘણીએક કિંમતી ચીજોને બજાર તથા ગાડી વગર ખેતરમાં નાશ થાય છે, અને જે ચીજો આ બંદર ખાતે આવે છે તેની કિંમતમાં ઘણો વધારે થાય છે, એટલે કે કોઈ વખતે બસે ટકા સુધી તે પણ ઘણોખરે ભાગ અંત આવી શકતો નથી, અને બાકીને આવે છે તેની જાતમાં હંમેશાં ઘટાડે થયેલ હોય છે.”૧ ગેઝેટીયરના કર્તાએ પણ જણાવે છે કે ગુજરાતમાં હાલના જેવી સડકો બિસ્કુલ ન હતી. અમદાવાદ ગેઝીવર ૧. આલપાઈવાળા, મુંબઈ ઈલાકામાં લોટાની સડકની જરૂરીઆતો ફાયદા (૧૮૫૩, ૫. ૩૪-૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy