SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ચાખી શકે, સુંધી શકે અને જરૂર પડી તો ભાંગીને સાંભળી શકે તેજ બહુ વાસ્તવ, જેટલું બની શકે એટલું વાસ્તવ છે. તે પણ એટલી પહેલી મંજલેજ ઇન્દ્રિના બે વર્ગવ ભેદ રાખવો જોઈએજેમકે એક વર્ગમાં લાગવાની, સુંઘવાની તથા ચાખવાની, કે જેઓ કોઈ વાર જાની (palaioteric) ઇન્દ્રિ કેહવાય છે તે; તથા બીજા વર્ગમાં જવાની તથા સાંભળવાની ઇન્દ્રિ, જેઓ નવી (Neoteric) ગણાય છે તે. પેહલી ત્રણ ઇન્દ્રિયો આપણને સાથી ઘણી નૈતિક ખાતરી આપે છે, અને પાછલી બેમાં કોઈ વેળા શક રહી જાય છે, કે જેઓનું કામ (કાંઈ જોયેલું કે સાંભળેલું) આગલી ઇન્દ્રિયોની મદદથી વારંવાર ખરું પાડવું પડે છે. સ્પર્શ ઈદ્રિ કોઈ પણ વાસ્તવત્વની ઘણીજ ચેકસ સાબેતી આપતી દેખાય છે. એ ઈન્દ્રિ સર્વથી ઉતરતી છે, અને અમુક ઉપયોગ માટે સર્વથી થોડીજ વપરાય છે તથા સર્વથી થોડી જ ખીલવવામાં આવેલી છે, અને પરિણામ વાદને આધારે જતાં સર્વથી જુની તરીકે ગણાયલી છે. એની પછી અમુક ઉપયોગસર વધારે વપરાતી ઇન્દ્રિયો વાસ તથા સ્વાદની છે. એમાંની પેહલી પ્રાણિયના તથા બીજી બાળકોના વપરાશમાં વધારે ખાતરી કરવા માટે આવે છે. ચઢતા વર્ગનાં પ્રાણિયોમાંનાં ઘણાંકને બાહ્ય વાસ્તવત્વ પારખવા માટે વાસ ઈન્દ્રિ સર્વથી અગત્યની જણાઈ છે; અને એથી ઉલટું, માનસની બાહદમાં, અને મુખ્ય કરીને સુધરેલાં માનસની બાબદમાં, એનો કાંઈ કામસર ઉપયોગ થતો ઘણું કરીને બંધ પડે છે. એક બાળક કોઈ પદાર્થના વાસ્તવત્વવિષે ખાતરી કરવાના કામ સિવાય વાસ થોડો જ ઉપયોગ કરે છે. તે પહેલાં તેને હાથ લગાડે છે, અને બની શકે તો પછી તેને મેહમાં ઘાલે છે. જેમ જેમ આપણે મોટા થઈયે છિયે તેમ તેમ આ છેલા રીત છેડી - * વસ્તુપણું # બાહ્ય વાસ્તવવ એટલે બહારથી જણાય એવું વસ્તુપણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy