SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫) અંધકાર અને પાપ. આ બંને વિચારો-અંધકાર અને પા૫–જે આપણને ઘણુ જુદા લાગે છે, તેને આગલા આ અકેક સાથે અતલગના સંબંધમાં જોડાયેલા ગણતા હતા. એક વિચાર, જેકે શત્રુને ભય, તે કેટલીક વખત, બીજે વિચાર, જે કે પાપને ભય–જે પાપને આપણે સર્વથી દુષ્ટ શત્ર ગ જેઈ–તેને લેતે આવે છે, તે દેખાઠવાને હું તમારી આગળ થોડાંક વાકય વાંચી સંભળાવું છું. “ઓ આદિત્ય, વરૂઓના મેહમાંથી અમને છોડવો, જેવો એક બાંધી મુકેલ ચેર હોય, એ અદિતિ ! “દિવસની વેળા અમારાં ઢોરનું ૨. ક્ષણ અદિતિથી થાઓ, તે અદિતિ જે કદી ઠગાતી નથી, તે વાતની વેળા તેઓનું રક્ષણ કરે; તે અચળ વદિવડે સંકટમાંથી અમારું રક્ષણ કરે” ( સક શબ્દ જે સંસકૃતમાં આવે છે તેને મૂળ શબ્દ પ્રમાણે અર્થ, ફકરથી, પાપની જાણથી નિપજતા ગંગળાટથી એવો થાય છે.) “અને પેલી ડાહી અદિતિ દિવસે અમારી પાસે મદદ લઈ આવે!” “અમને અદિતિ કૃપા કરી સુખ આણી આપે અને સંકટમાં શત્રુને હાંકી કહાડે !' અથવા વળી: “અદિતિ, મિત્ર અને વરૂણ અમે તમારી સામે કાંઈ પાપ કર્યું હોય તો તે માફ કરો. આ ઈદ્ર મને વિશાળ નિર્ભય પ્રકાશ મળે ! અમારે માથે લાંબે અંધકાર ન આવશે !” “અદિતિ, અમને નિપાપ સ્થિતિ આપે !” અદિતિવિષેના ખ્યાલઉપરથી એક બીજે વિચાર સ્વાભાવિક રીતે નિકળેલ જણાય છે. જ્યાં જયાં આપણે જઈએ છિયે ત્યાં આપણને માલમ પડે છે કે બીજા જન્મવિષેની કલ્પના સર્વથી પુરાની કલપનાઓમાંની એક છે, જે સૂર્ય અને બીજા આકાશી ગ્રહના નિત્ય આવવા અને જવાઉપર વિચાર કર્યાથી ઉત્પન્ન થપેલી છે. જેમ આપણે હાલ પણ બોલિયે છિયે કે તેનો સૂર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy