SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ યકુરણા : કેટલીક વખત માણસને પોતાના અંતરથી કેટલીક વાત સૂઝી આવે છે અને તેથી તે સ્કૂરણા પ્રમાણે કાર્ય કરે છે. એને ન્યાય દર્શનમાં “ કાતિ-જ્ઞાન” કહેવામાં આવે છે. તે પણ સ્મૃતિ વિકાસને એક સ્ત્રોત જ છે. આજે મારું કામ સફળ થશે!” “ આજે અમુક વ્યકિત મારા ઉપર પ્રસન્ન થશે જ ! ” “ મારું મન સાક્ષી આપે છે કે આ કામ સફળ નહીં થાય ! આ બધી સ્વયંપુરણું પ્રાતિ-જ્ઞાનમાં જાય છે. સ્વયંપુરણામાં ભૌતિક સફળતા કરતાં આધ્યાત્મિક સફળતાને વિશેષ અંશ હોય છે. જ્યારે સ્કુરણ થાય છે ત્યારે અંતરમાં એક જાતને પ્રકાશ થાય છે. જૈન દર્શન પ્રમાણે સ્કુરણ થતાં ભાવમનના પ્રકાશના કિરણે પ્રગટ થયા; એમ કદ્દી શકાય. ભાવમનને જૈનદર્શનમાં ચેતન સામીપ્ય રૂપ માનવામાં આવ્યું છે. તેના કારણે જીવનમાં ઉન્નત દશા તરફ વળાય છે. આ અંગે એક શાસ્ત્રને દાખલો લઈએ. કોરબી નગરીમાં પ્રભૂતધનસંચય નામને શ્રેષ્ઠીપુત્ર રહેતું હતું. એને એકદા આંખની ભારે વેદના થઈ. એના પિતા ખૂબ ધનાઢય હતા. તેમણે ઉપયાર કરાવવામાં કંઈ પણ બાકી ન રાખ્યું. વૈદે, નિમિત્તશો, બાવા-ભૂવા બધાને તેડાવ્યા પણ કંઈ અસર ન થઈ. બધાની સેવા ચાલુ હતી. માનું વહાલ હતું, પત્ની ની અખંડ સેવા હતી. પિતા ખડે પગે ઉભા રહેતા હતા. બહેને ભાઈ-ભાઈ કરીને ઓછી થઈ જતી હતી. ભાઈએ પાંડવો જેવા હતા. બધા દુઃખી થઈને રહી જતા પણ કોઈ તેમનું દુઃખ દૂર કરી શકતા ન હતા. તેથી શ્રેષ્ઠીપુત્રે એક રાતના áડું ચિંતન કર્યું. તેને સ્વયંસ્કરણ શાખ : “હું આ સાંસારિક માયાથી અનાસક્ત થઈ, ઘરબાર છોડીને ત્યામમાર્ગ સ્વીકારે તે મારી આ ચક્ષવેદના મટી જાય ! પછી આ જગતના દુ:ખનું કારણ શોધુ!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy