SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] સ્મૃતિ-વિકાસનું ફળઃ પૂર્વજન્મ સ્મૃતિ સ્મૃતિ-વિકાસ અંગે આટલું બધું વિચારવા પાછળ મુખ્ય હેતુ શું છે? કોઈ પણ વસ્તુ તેના પરિણામ જાણ્યા વગર સિદ્ધ કરવામાં, તે અંગે પ્રયત્ન કરવામાં ઉત્સાહ રહેતો નથી. સ્મૃતિ-વિકાસનું જે તાતકાલિક ફળ છે તે પૂર્વજન્મ સ્મૃતિ છે અને સ્થાયી ફળ છે. સંપૂર્ણ આત્મા એટલે પરમાત્માનું પદ પ્રાપ્ત થયું. અહી પૂર્વજન્મ સ્મૃતિ અંગે વિચાર કરશું. આ મન જે ઉપરથી નાનું અને સામાન્ય દેખાય છે તેની શક્તિ અને વિકાસને જે મારો ખ્યાલ આવે તે ચકિત થયા વગર રહેવાતું નથી. બાહ્ય મનના ઊંડાણમાં સંસ્કાનાં કેટલાંયે પડળે છે. તે જ્યારે જ્યારે નિમિત્ત મળે છે ત્યારે રસ્મૃતિ વડે પ્રગટ થાય છે. મને વૈજ્ઞાનિકો આ Sub Conscious Mind (સબ કોન્સીયસ માઈન્ડ અજ્ઞાત મન) કહે છે. આપણે તેને ભાવ-મન કે આંતર્મન કહીએ છીએ. આ આંતર્મન જીવની સાથે લાગેલું છે અને સ્મૃતિ વિકાસનું જે કોઈ તાત્કાલિક ફળ હોય તો પૂર્વજન્મની સ્મૃતિ થવી છે. માણસની કે છવા ભાની મોટી લાચારી એ છે કે તે એ નથી જાણી શક્તિ કે તે ક્યાંથી આવ્યો? તે કોણ હતો ? તેમજ આસપાસના સંબંધો અંગે કોઈ પ્રયોજન ખરું કે ગયા જન્મમાં આજના સગા સંબંધીઓને સ બંધ કઈ રીતે ? આ લાચારીને સ્મૃતિ-વિકાસ એક અવસ્થાએ પહોંચીને દુર કરે છે. કહેવાય છે કે બાળક નાનું હોય છે ત્યારે તેની સાથે એને પર્વ. જન્મની સંસ્કૃતિ હેય છે. પણ નવા જન્મના સંસ્કારો અને વાતે તેના ઉપર જામે છે અને તે વિસ્મરિત થઈ (ભૂલાઈ) જાય છે. આજના મને વૈજ્ઞાનિકે પૂર્વભવ અંગે કંઈ કહેતા નથી અથવા તેઓ એમાં માનતા નથી. પણ બાળકને જે સંસ્કારો મળે છે તેમાં અમુક સંસ્કારો ક્યાંથી આવ્યા છે તેને કોઈ ખુલાસો કરતા નથી. સામાન્ય રીત માણસને ત્રણ પ્રકારના સંસ્કાર મળે છે:– મા-બાપના, સમાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy