SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧ ] ગણિતના પ્રયાગા અને સ્મૃતિ–વિકાસ ગણિત વડે જે માનસિક એકાગ્રતા થાય છે તે પૂર્ણ અને વિશુદ્ધ હાય છે. જૈનાગમેામાં ગણિત-અનુયાગનુ વર્ણન ખૂબ વિસ્તારથી કરવામાં આવ્યું છે. ગણિત ઘણાને ચડતુ નથી. તે વિષય આમ કઈક અંશે મૂંઝવણુભર્યા લાગે છે. પણ તેમાં રસ જાગે તેા તે જ સરળ અને સરસ બની શકે છે. ગણિત માટે એકાગ્રતાની સહુથી વધારે જરૂર છે. તેના માધ્યમથી પ્રાપ્ત સખ્યા તથા અકાને યાદ રાખવાનુ કામ તે વળી ભારે મુશ્કેલ છે; પણ ઊંડા ઊતરતાં તે ખૂબ રસિક બને છે. જગતમાં ગણિતનું મહત્ત્વ વધારે છે. અવધાન—પ્રક્રિયામાં ગણિતના પ્રયાગા જ્ઞાન–વનની સાથે સાથે શુદ્ધ મનેારજનનુ કામ પણ કરે છે. એટલે સ્મૃતિ-વિકાસની સાથે ગણિતના અતિ નિકટના સબંધ છે. > કહેવાય છે કે નળરાજા ઝપાટાબંધ ચાલતા રથમાંથી બેઠા બેઠા ઝાડનાં પાદડાં ગણી શકતા હતા. આપણે ત્યાં લીલાવતી ગણિત પ્રસિદ્ધ છે. તત્કાલ—જબાની—ગણિતના ‘ગુટ ' પણ શીખવવામાં આવે છે. જેથી સ્લેટ કે કાગળ-પેન્સીલ વગર માંઢથી તરત દાખલા કરી દેવામાં આવે છે. ૧૫–૨૦ અંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર માંથી કરવાના ઉપાયેા; તેમ જ તે સાચા છે કે ખાટા તે તપાસવાની ચાવી સહેલાઈથી થઈ શકે; એ રીત માટા માઢા વિદ્વાનને પણ આશ્ચર્યમાં નાખી દે છે. ગણિતના ઉપયોગ સાધુસ ંતા તેમ જ લોકસેવક માટે પણ છે. કોઈ પણ સંસ્થાકીય ઔદ્યોગિક વિકાસ કે ગ્રામવિકાસની યોજના અંગેની ગણત્રીમાંથી કરી શકે તે। તે જનતા કે સરકારને સમજાવી શકે. સંસ્થાકીય કે સહકારી યેાજના કે કાર્યોમાં કાંક અનૈતિક્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy