________________
૧૨૭
." અંતે ગણેશજીએ કહ્યું: “આપણું બનેની શરત પૂરી થઈ હવે તમે ચિંતનપૂર્વક બેલા અને ચિંતનપૂર્વક લખીશ.”
આમ એક સમાજનાયકે (ગણેશજીએ) અને એક ધર્મ-નાયકે (વ્યાસજીએ) મળીને મહાભારતની રચના પૂરી કરી. એટલે સમાજ અને ધર્મ બન્નેના અનુભવને ખજાને મહાભારતમાં છે તેનું મૂલ્ય આજે પણ એટલું જ છે.
જૈનાચાર્ય હરિભદ્ર સૂરિ ત્યારબાદ નાચાર્ય હરિભદ્રસૂરિને સાહિત્યક- કાંતિકારમાં ગણી શકાય. એમને જીવનકાળ લગભગ વિ. સં. ૭૫૭ થી ૮૪૭ સુધીને ઇતિહાસકારો માને છે. તેઓ ચિતોડના રાજપુરોહિતના પુત્ર હતા. બ્રાહ્મણ પુલહાવાથી ક્રિયાકાંડી અને સમર્થ વિદ્વાન પણ હતા. એમને મન અભિમાન હતું કે જેની વાત મને ન સમજાય તેને હું શિષ્ય બનું.
એકવાર જેન-ઉપાશ્રય પાસેથી જતા હતા કે તેમણે એક પ્રાન્તભાવની ગાથા સાંભળી. તેને અર્થ ન સમજાતાં તેઓ ઉપાશ્રયમાં ગયા ત્યાં જૈન સાધ્વી યાકિની મહત્તા બેઠાં હતાં. તેમણે વંદન કરીને તે ગાથાને અર્થ પૂ. સંતોષ થતાં તેમણે નિયમ પ્રમાણે તેમના શિખ થવાનું ઇચછ્યું.
સાધ્વીજી તેમને પિતાના ગુરુ જિનભદ્રસૂરિ પાસે લઈ ગયાં; અને તેમને મુનિ- દીક્ષા અપાવી. આચાર્ય હરિભદ્રસૂરિએ તે સાધ્વી યાકિની મહારને અંત સુધી ધર્મ-માતા તરીકે લેખાવી હતી.
જૈનમાં તેઓને પ્રથમ ક્રાંતિકારી સાહિત્યકાર ગણી શકાય છે. તેમણે સમન્વયકાર તરીકે સમભાવપૂર્વક – મધુર શબ્દોથી વિચાર મીમાંસા વડે છએ દશનેને તે યુગમાં સમન્વય કર્યો હતો, અને ષ દર્શન સમુખ્યમ” નામને પ્રથ લખે. છતાં તે યુગ શાસ્ત્રાર્થને યુગ હતે. ત્યારે તેમણે યોગ વિષયક ધારણ બદલી વેગને નવી પરિભાષા આપી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com