SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] અનાકમાણ વૃત્તિ: ભારતીય સંસ્કૃતિનું બીજું મહત્વનું અંગ છે અનાક્રમણ વૃત્તિ. આપણે જગતને ઈતિહાસ ઉપાડીને જોઈશું તે એમ જણાયા વગર નહીં રહે કે ભારતે કદિ કોઈની સામે આક્રમણ કર્યું અહીં આર્યો આવીને વસ્યા પણ તેઓ અહીંની પ્રજા સાથે ભળી ગયા. એટલું જ નહીં આજે જે અન્ય જાતિઓ અને ધર્મના લોકો પણ વિકાસ સાધી શક્યા છે તે આ વૃત્તિને જ આભારી છે. અનાક્રમણ શબ્દ રાજકારણનો છે. એનો અર્થ કેવળ લડાઈ કરવી એટલે જ થતો નથી; સાથે કઈ પણ પ્રજાને કારણ વગર નિર્મળ ન કરવી એ પણ થાય છે, અને શેષણ ન કરવું એ પણ થાય છે. એટલે જ આફ્રિકાના લોકો જેમ ગેરાઓને ચાલ્યા જવાનું કહે છે તેમ હિંદીઓને પણ ચાલ્યા જવાનું કહે છે. તે છતાં હિંદીઓ અંગે તેમને ભાન છે, કારણ કે હિંદીઓએ સર્વપ્રથમ તેમને બતાવ્યું કે અંગ્રેજો કઈ રીતે તેમનું શોષણ કરે છે. અને આફ્રિકાની સ્વતંત્રતાની લડતમાં હિંદીઓનો મોટો ફાળો છે. અનાક્રમણની એક બીજી એ પણ વિશેષતા છે કે જયારે આક્રમણ ચાય, અન્યાય થાય ત્યારે તેને પ્રતિકાર કરવા જોઈએ. ગાંધીજી આફ્રિકામાં પૈસા કમાવા ગયા; પણ ત્યાં અન્યાય જાય એટલે તેનો પ્રતિકાર કરવા તૈયાર થયા. આનું કારણ ભારતની સંસ્કૃતિ હતી. મણિલાલ ગાંધી જીવ્યા ત્યાં સુધી અન્યાય સામે લડતા રહ્યા. તેમના ગયા પછી સુશીલાબેન ગાંધી પિતાની શક્તિ પ્રમાણે કરી રહ્યાં છે અને ગાંધીજીને વારસે જાળવી રાખ્યો છે. આક્રમણ બીજા ઉપર કરવું નહીં તેમ બીજા ઉપરનું આક્રમણ સહેવું પણ નહીં, આ અનાક્રમણવૃત્તિને સ્પષ્ટાર્થ છે. [૩] તાદાસ્ય અને તટસ્થતા: ભારતીય સંસ્કૃતિનું આ ત્રીજુ અંગ છે. તાદાત્મ એટલે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy