________________
૧૯
નહીં કરીએ; કારણ કે લોકશાહી રાજ્યમાં લોકોએ તે કાનૂનેને સ્વીકાર્યા છે એટલે લોકો જ એને ભંગ કરે તે બરાબર નથી.
સંબંધ બાંધવા પણ તે પૂરક તરીકે રાખવા ! આંતરરાષ્ટ્રીય બાબતોમાં કાળજી રાખવી ! કાનૂન (નિયમન)ને માનનારા, લોકશાહીની રક્ષામાં માનનારાં દરેક મંડળો સાથે સંબંધ રાખવા પડશે. ગાંધીજીના દાખલા ઉપરથી આજના સંસ્થાઓના યુગમાં ક્યાં તટસ્થ રહેવું ક્યાં તાદામ્ય કેળવવું અને ક્યાં વિરોધ કરે એ સ્પષ્ટ કરશે.
ગાંધીજીએ કુટુંબ, જ્ઞાતિ કે ધર્મ સંપ્રદાયનો જાતે ત્યાગ નહોતો કર્યો. પણ એમાં જ્યાં જ્યાં દુષણે હતાં ત્યાં ત્યાં તેઓ સંશોધન કરતા ગયા. પછી તેમનું અનુસંધાન મહાસભા સાથે થઈ ગયું. તેમના સભ્ય ન રહેવા છતાં તેની સાથે તાદામ્ય તેમણે છેવટ સુધી રાખ્યું અને તાટધ્ય પણ રાખ્યું. એવી જ રીતે વિધવાત્સલ્યમાં બધા પ્રવાહ સાથે તાદામ્ય–તાટરશ્ચને વિવેક સાધીને આગળ વધવાનું છે.
ચર્ચા-વિચારણું તાદાભ્ય અને તાટસ્થ નવા પણ અદ્દભૂત શબ્દો
પૂ. દંડી સ્વામીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : ગાંધકામમાં આપણને કેટલાક અદ્દભૂત શબ્દોની ભેટ મળવા માંડી છે. તાદામ્ય અને તાટસ્થની જોડીને મુનિશ્રી સંતબાલજીને પ્રયોગ બહુ મીઠે લાગે છે. ગીતાની પ્રવૃત્તિમાં નિવૃત્તિ કે રાગમાં ત્યાગને એ સૂચક છે. અનુબંધ વિચારધારાના અનુસંધાનમાં આવા આવા શબ્દો અહીં જે મળ્યા છે તે જિંદગીમાં યાદ રહે તેવા અને સાધનામાં સાચી દિશાનું બળ દેખાડનારા છે. એવા જ એકાંગી સર્વાગી શબ્દોનો પણ જેટે નથી. હવે આ બધી કાર્યવાહીને અમલ કઈ રીતે થાય તે જ આપણે છેલ્લે વિચારવાનું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com