SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્યતાને વિસારી દેવામાં આવી ન હતી પણ, તેના કરતાં સંસ્કારને વધારે મહત્વ આપ્યું હતું. અહીં સંસ્કારોને સામે રાખીને સંસ્કૃતિનું ઘડતર થયેલું. ત્યારે પશ્ચિમમાં સભ્યતાને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. એટલે ત્યાં સમાજ કે દેશમાં સભ્યપણું અને સભ્ય વધારાનો વિચાર કરવામાં આવ્યો છે, પરિણામે સંસ્કૃતિ – વિરૂદ્ધ અનિષ્ટો ચાલતાં હોય તો તેના પ્રતિ દુર્લક્ષ સેવવામાં આવ્યું. પરિણામે આજે પશ્ચિમને સમાજ સભ્ય ખરે-નાગરિક ભાવનાથી સભર ખરે; પણ ત્યાં દારુ પી; સમાજમાં પા એ સભ્યતા મનાય છે તેમ જ ચારિત્ર્ય તરફ તે હદ બહારનું દુર્લક્ષ સેવવામાં આવે છે. સભ્યતાના નામે જે સૌંદર્ય-પ્રતિગિતાઓ ચાલે છે તેમાં હદબહારનાં નારી દેહનાં અર્ધનગ્ન પ્રદર્શને જ થાય છે. આમ થવાનું મૂળ કારણ તે ત્યાં સભ્યતા એટલે મેટા માણસની વિલાસી રહેણી-કરણી અને તેનું અનુકરણ, એમ થયું. જ્યારે માણસોની રીતભાત આદર્શ બને તો એ ભદ્ર સમાજની સભ્યતાને કે વિકાસ થઈ શકે ? આ સભ્યતા કે જેને આપણે ભદ્ર સંસ્કૃતિ કહીશું તેનાથી ભારતની સંસ્કૃતિ કે જેને સંત સંસ્કૃતિ કહીએ છીએ તે ઘણી દૂર છે. અહીં પણ સભ્યતાને વિસારવામાં આવી નથી. પણ સભ્ય (civilized) કણ? એને સર્વ પ્રથમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે – “સમાયાં સાધુ: સમ્યઃ” –સભા-સમાજની વચ્ચે જે સાધુ-સંત-સજજન છે તેજ સભ્ય છે. આ સજજન એટલે તે કાળે છતી રિદ્ધિ-સિદ્ધિએ તેને ત્યાગનારે; અથવા તો તેની મર્યાદા કરનારે એમ મનાતું. આ સાધુ કે સજજન પુરુષ ધાર્મિક મનાતે. એટલે અહીં સંસ્કારને આદર્શ સંત-જીવન બન્યું. પરિણામે અહીં જીવનને ઉચ્ચ બનાવવાનું ઘડતર સંસ્કાર મારફત થયું–તે સંત સંસ્કૃતિ બની. ભારતીય સંસ્કૃતિની સ્થાપિતા શાથી? ભારતીય સંસ્કૃતિની વિશેષતા એટલા માટે છે કે તેણે વિશ્વને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy