________________
સામે રાખીને માનવજીવનના ઘડતરને આદેશ આપ્યો છે. એટલે જ આજે તેના ઉપર વિચાર કરવા આપણે સહુ મળ્યા છીએ. એટલું જ નહીં; પણ આ સંસ્કૃતિની એક એવી અખંડ સળંગતા છે જેને યુગે યુગે ટકાવી રાખવા માટે સંતોએ પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. ઈતિહાસના પાના ઉપર નજર નાખશું તે પ્રાચીન કાળમાં ત્રણ સંસ્કૃતિઓ નજરે ચડે છે – (૧) ગ્રીક-રોમન સંસ્કૃતિ, (૨) મિસ્ત્ર-દેશની સંસ્કૃતિ, અને (૩) ભારતની સંસ્કૃતિ. આ ત્રણે સંસ્કૃતિઓ પૈકી જો કોઇ ટકી રહી હોય તો તે ભારતીય સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ શા કારણે ટકી શકી છે અને આજે પણ માણસને સુખ શાંતિમય જીવનને પણ અમર–સંદેશ આપી શકે છે, એવું એનામાં કયું પ્રબળ તત્વ છે? તે અંગે ઘણા સંશોધનકારોએ શોધખોળ કરી તેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
ભારતીય સાથે સંસ્કૃતિએ આની સસ્કૃતિ,
સંસ્કૃતિની શુદ્ધિ :
૫. જવાહરલાલ નેહરુએ કહ્યું છે સંસ્કૃતિને શુદ્ધ અને ટકાવી રાખવા માટે તેના સાતત્યની રક્ષા હેવી જોઈએ. તેમ જ તેનામાં પરિવર્તનશીલતા પણ હોવી જોઈએ. એક પરંપરા કાયમ રહે તે સાતત્ય છે. સામાન્ય રીતે એ સંસ્કૃતિ જીવિત રહે છે જેની પરંપરા ચાલુ રહે છે. યોગાનુયોગે બીજી સંસ્કૃતિઓ નષ્ટ થઈ છે ત્યારે ભારતીય સંસ્કૃતિ ટકી શકી છે. એનું એક કારણ તે એ છે કે તે ટકી તે છે, સાથે સાથે તે એક તરફ જ્યારે લોકસમાજને ઘડવા માટે સમય પ્રમાણે નિયમોમાં પરિવર્તન આણતી ગઈ છે; જૂની રીતેના મૂલ્યને બદલે નવાં મૂલ્ય તેણે સ્થાપ્યાં છે, ત્યારે તેના આરંભથી આજ સુધી કોઈ ને કોઈ સંત મહાત્મા તેને શુદ્ધ કરતાં રહ્યાં છે. પરિવર્તનશીલતા એ ભારતીય સંસ્કૃતિને બીજો મહતવને ગુણ છે–જેના કારણે તે ટકી શકી છે અને શુદ્ધ થતી રહી છે. પરિવર્તનશીલતા એ કાળને ક્રમ છે. તે પ્રમાણે જૂના અનુભવો જ્ઞાન રૂપે સ્થિર થાય છે અને નવાં સંશોધનો વિજ્ઞાન રૂપે આગળ આવે છે. તે પણ પાછાં જૂનાં થાય છે અને નવી વાત આગળ
આવે છે, આ જે ક્રમ છે તેને પચાવવાની શક્તિ પણ સંસ્કૃતિમાં જોઈએ, જેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com