SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્ચા-વિચારણા શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : ધર્મ, શ્રદ્ધા અને સાધુ તે ત્રણ શબ્દમાં, ધર્મના ત્રણ ભાગ પાડવા જોઈએ. (૧) તત્ત્વજ્ઞાન, (૨) સદાચાર અને (૩) કર્મકાંડ. એમાં પણ સદાચાર ઉપર જોર અપાય તો ધર્મ ઉપરને અંધવિશ્વાસ દૂર થઈ શકે, તેમ જ ધમ વડે વ્યક્તિ અને સમાજને પણ લાભ પહોંચે” શ્રી. પૂંજાભાઈ: “જેમ વેપારી માટે લાયસન્સ હેય છે. ડેકટર, વકીલ માટે પરીક્ષાનું પ્રમાણપત્ર હોય છે. તેમ છે સાધુ સમાજમાં પ્રવચન કરે તે માટે પ્રમાણપત્ર લેવું જરૂરી છે. જો કે એ અંગે સમાજ જાતે જ પ્રમાણપત્ર છે. કદાચ પ્રારંભમાં ફસાઈ જાય પણ લોક-શકિત તેની કસોટી બની જાય છે.” બધા સભ્યો એમાં સમ્મત થયા હતા અને વધારે ચર્ચાને સાર એ હતું કે “આજનો યુગ જાગૃતિને યુગ છે અને કઈ બેટી વસ્તુ લાંબો સમય ચાલતી નથી. પણ એનાથી નવી પેઢીની ધમ ઉપરની શ્રદ્ધા ઊઠતી જાય છે. ખરેખર આ ગંભીર ચિંતાનો વિષય છે. પણ એને છેલ્લો ઉપાય તો સાચા સાધુઓ અને સજજનેએ પિતાના ઉજજવળ ચારિત્ર વડે દાખવો જોઈએ. પૂ. શ્રી નેમિમુનિ : “ તત્ત્વજ્ઞાનમાં પણ ઘણું ભેદે હેવાના દા. ત. એક જ વેદાંતમાં દૈતવાદ, અદ્વૈતવાદ વ. છે. તેવી જ રીતે દરેકના છે. તે તેનું માપદંડ શું?” શ્રી. માટલિયાઃ એમા મુખ્યત્વે જોવા જઈએ તો “અવ્યક્ત અને વ્યક્ત” અથવા “ સાકાર કે નિરાકાર ” એવા બે ભેદમાં બધા ભેદ સમાઈ જાય છે. સવાલ માત્ર સદાચારના માધ્યમને અગત્યને છે. કર્મકાંડની બાબતમાં પણ મોટા ભાગે તે સવાલ વ્યક્તિને તે તે સંપ્રદાય કે ધમની તે તે વ્યક્તિને અંગત જ સ્પર્શે છે. એટલે મારા વિનમ્ર અને તેના આગ્રહ તૂટી પડશે. જે સદાચાર મુખ્ય હશે તે !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy