SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જનતા લઈ શકે છે. એવું જ ધર્મનું છે. એક સમાજ રચી ધર્મના નિયમોને, જીવનના આચાર-વિચાર રૂપે ગોઠવી દેવાય ત્યારે સામાન્ય લોકોના જીવનમાં તે ઊતરી શકે છે અને સામાન્ય જનતા તેવા ધર્મતીર્થને લાભ લે છે. આજના પ્રચલિત ધર્મો પિત પિતાના દેશકાળ પ્રમાણે રચાયા હાઈને બધાની આચાર-વિચારની યોજના એકસરખી લાગતી નથી. એટલે લોકે પિતાની પદ્ધતિથી ટેવાયેલા હોઈને તેને મૂકવા જલદી તૈયાર થતાં નથી. પરિણામે તેને પ્રાચીનતાનો પૂટ આપે છે. ઘણા એથી પણ આગળ વધીને અમે સાચા અને બાકી બધા ખોટા એટલે હદ સુધી જઈને માથાફોડ પ્રયત્ન કરે છે. અનંતકાળ અને અખંડ જગત માટે એકસરખી કઈ એવી જના નથી ઘડાઈ શકતી જે બધા કાળ માટે ઉપયોગી બનીને રહે. જે એમ થઈ શકતું હોત તો નવાં તીર્થકરે, અવતાર કે પૈગંબરોને આવવાની અને તીર્થરચના નવેસરથી કરવાની જરૂર જ ન રહેત. પણ, એ તત્ત્વને ભૂલીને અમૂક ધર્મની વ્યકિતઓ બીજાને ઉતારી પાડવા, લડવા કે નિંદા કરવા તૈયાર થાય છે પરિણામે ધર્મ કે જેના નામે આ બધા વિરોધ, વિખવાદો કે લડાઈઓ ચાલે છે તે જગતનું કલ્યાણ કરવાને બદલે; અકલ્યાણ કરવાનું નિમિત્ત બની જાય છે. તે ત્યાં સુધી પહેચે છે કે, બે ધર્મ-સંપ્રદાયના આચાર્યો મળી શક્તા નથી; લેકે ભેગા મળીને બેસી શકતા નથી એટલું જ નહીં ઘણીવાર તે ધર્મગુરુઓ સામે મળતાં મેટું પણ ફેરવી લે છે. - એમાં ધમને કોઈ દેષ નથી; એ તે સત્ય છે; શાશ્વત છે અને કલ્યાણકારી છે. પણ તેની ઓથે જે અહં પિવાય છે તે બેઠું છે. ધર્મ અને અભિમાનને કોઈ સંબંધ નથી. ઊલટું દરેક ધર્મો બાપકાર કહે છે કે “અભિમાનીનું માથું નીચું.” તે ધર્મના નામે તેને પોષવાનું કારણ વ્યક્તિગત અહં કે સ્વાર્થ જ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy